સુરત ખાતે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતાં ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો
મગન નગર 2 મા થયો પથ્થરમારો
પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે
ગુજરાત ચુંટણીને લઇને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાદવ ઉછાળમાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતાં ભાગદોડ મચી જવા પામી હતી. ગુજરાત ચુંટણીને લઇને આપના સર્વેસર્વા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રચાર અર્થે સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના મગનનગર-2માં જબરદસ્ત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં. સદનસીબે કોઈને પથ્થર લાગ્યા ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં અને રોડ શો બાદમાં આગળ વધારવામાં આવ્યો હતો મહત્વનું છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુરત પર પહેલાથી જ જોર લગાવી રહી છે. જેથી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પ્રચાર કરવા પહોચ્યા હતા જ્યા તેમણે સભાને સંબોધન કરી હતી અને બાદમાં રોડ શો કર્યો હતો જેમાં પથ્થરમારાની ઘટના બની હતી.જોકે પથ્થર મારાનાર યુવાનને પોલિસે ઝડપી પાડયા હોવાનું પણ સામે આવ્યું છે,
બે દિવસ અગાઉ આપની સભામાં થયો હતો પથ્થરમારો
મહત્વનું છે કે ગત તા. 26 ના રોજ રાત્રે સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે જાણ થતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
અગાઉ AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે થયું હતું ઘર્ષણ
આ અગાઉ સુરતમાં સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા ઝીંકયા હતા. ઉપરાંત પથ્થરમારો કરી AAP અને ભાજપના કાર્યકરોએ કારોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઇને અનેક લોકોને ઇજા પણ પહોંચી હતી. જે અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.