બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મહાકુંભ શરૂ થતાં જ શેર બજાર કેમ થાય છે ક્રેશ? 20 વર્ષથી ચાલી રહ્યો છે ટ્રેન્ડ

જાણી લો / મહાકુંભ શરૂ થતાં જ શેર બજાર કેમ થાય છે ક્રેશ? 20 વર્ષથી ચાલી રહ્યો છે ટ્રેન્ડ

Last Updated: 06:55 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 20 વર્ષોમાં જેટલી વાર કુંભના મેળાનું આયોજન થયું છે, તે દરમિયાન શેર બજરની પણ હાલત ખરાબ થઈ જાય છે. એક્સપર્ટસનું કહેવું છે કે ગત બે દશકાઓમાં કુંભના મેળા દરમિયાન સેન્સેક્સે પણ પોઝિટિવ રિટર્ન નથી આપ્યું.

પ્રયાગરાજમાં 45 દિવસો સુધી ચાલતા મહાકુંભ મેળો આજથી શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સંગમ તટ પર લગભગ 40 કરોડની સંખ્યામાં લોકો સ્નાન કરશે. આ દરમિયાન સેન્સેક્સમાં પણ ઘટાડો આવી શકે છે. આ ખૂબ જ રસપ્રદ છે કે ગત 20 વર્ષોમાં જેટલી વાર કુંભના મેળાનું આયોજન થયું છે, તે દરમિયાન શેર બજરની પણ હાલત ખરાબ થઈ જાય છે. એક્સપર્ટસનું કહેવું છે કે ગત બે દશકાઓમાં કુંભના મેળા દરમિયાન સેન્સેક્સે પણ પોઝિટિવ રિટર્ન નથી આપ્યું.            

stock-market_5_0_0 (1)_0

20 વર્ષોથી એક ટ્રેન્ડ છે ચાલુ

આ 20 વર્ષોમાં 6 વાર કુંભના મેળાનું આયોજન થયું અને દર વખતે શરૂઆતથી લઈને અંત સુધી સેન્સેક્સમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું. કુંભ મેળો લગભગ 52 દિવસો સુધી ચાલે છે આ દરમિયાન સેન્સેક્સમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો નોંધાયો છે. SAMCO સિક્યોરિટીના અપૂર્વ શેઠના વિશ્લેષણ અનુસાર, ગત 20 વર્ષોમાં છ વાર કુંભના મેળા દરમિયાન સેન્સેક્સે દરેક વખતે નેગેટિવ રિટર્ન આપ્યું છે.    

દર વખતે શેર માર્કેટમાં ઘટાડો

દાખલા તરીકે વર્ષ 2021માં 1 એપ્રિલથી 19 એપ્રિલ સુધી કુંભના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 દિવસો દરમિયાન સેન્સેક્સમાં 4.16 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો 2015 માં થયેલા કુંભના  મેળા દરમિયાન જોવા મળ્યો હતો. 14 જુલાઇથી 28 સપ્ટેમ્બર સુધી આયોજિત આ મેળામાં 8.29 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

Mahakumbh Mela_2

કુંભના મેળા બાદ શેર માર્કેટમાં આવે છે ઉછાળ

આ બ્રોકરેજ ફર્મે પોતાની નોટમાં કહ્યું, જ્યારે બજાર તેજી સાથે આગળ વધતું હોય તો ઘણી વાર વધારે અને જલ્દી પ્રોફિટના ચક્કરમાં લોકો પોતાના શેરોને વેચવામાં ઉતાવળ કરવા લાગે છે. આ દરમિયાન ભૂલો કરવાની શક્યતા ઘણી હોય છે. આની ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી શેર માર્કેટમાં કોઈ સુધાર કે ઘટાડો ન આવે.  

PROMOTIONAL 12

ફર્મે વધુમાં કહ્યું, કુંભ દરમિયાન સેન્સેક્સનું પરફોર્મન્સ ભલે સારું ન હોય, પરંતુ આ પૂરો થયા બાદ માર્કેટમાં ઉછાળ આવે છે. કુંભ પૂરો થયાના છ મહિના બાદ સેન્સેક્સએ છ માંથી પાંચ મામલામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે, જેમાં સરેરાશ 8% સુધીનો વધારો જોવા મળ્યો છે.

વધુ વાંચો: મારી નાખ્યા! શેર બજારમાં ફરી ભયંકર તબાહી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કાપ, 12,00, 000 કરોડ ઉડ્યા

શું છે કારણ?

અપૂર્વ આગળ કહે છે, કુંભ દરમિયાન આ પેટર્નના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી ઘણા દિવસો માટે બીજી જગ્યાએ શિફ્ટ થાય છે. કેટલીક વસ્તુઓનો વપરાશ વધે છે, જ્યારે ઘણી વસ્તુઓનો વપરાશ ઘટે છે. અમુક સેક્ટર્સ એવા છે જ્યાં આર્થિક ગતિવિધિઓ અસ્થાયી રૂપથી વધી જાય છે, ત્યારે ઘણા સેક્ટરોમાં હલચલ ખૂબ ઘટી જાય છે. આ અસ્થાયી પેટર્ન કદાચ માર્કેટમાં ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે કારણ કે આ અનિશ્ચિતતાથી ઈન્વેસ્ટર્સ પણ જોખમના ડરથી પ્રભાવિત થાય છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Business News MAHAKUMBH 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ