વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેતોને કારણે સોમવારે સવારે વિશ્વભરના શેરબજારોમાં ખળભળાટ, ભારતીય શેરબજાર અને તેના રોકાણકારોને પણ મોટું નુકસાન થયું
કારોબારી બજાર ખૂલ્યા બાદ હવે રોકાણકારોને મોટો ફટકો પડ્યો
ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો નોંધાયો
રોકાણકારોને અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
આજે કારોબારી બજાર ખૂલ્યા બાદ હવે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. શેરબજારમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોને અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેતોને કારણે સોમવારે સવારે વિશ્વભરના શેરબજારોમાં ખળભળાટ મચી ગયો હતો. એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ભારતીય શેરબજાર અને તેના રોકાણકારોને પણ નુકસાન થયું છે.
સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોણએ અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. શુક્રવારે ભારતીય શેરબજારો બંધ થયા ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 277 લાખ કરોડની નજીક હતું. પરંતુ સોમવારે સવારે બજારમાં ભારે વેચવાલીને કારણે BSE લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 273 લાખ કરોડની નજીક આવી ગયું હતું. વાસ્તવમાં, ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલે કહ્યું છે કે, મોંઘવારી કડક થવાનો માર સામાન્ય લોકોને મોંઘી લોનના રૂપમાં ભોગવવો પડી શકે છે. સંકેત સ્પષ્ટ છે કે, અમેરિકામાં વ્યાજ દરો વધુ વધવાના છે. તેમના નિવેદનનો માર શેરબજારને સહન કરવો પડ્યો હતો. વિદેશી રોકાણકારો વેચી રહ્યા છે.
Sensex slumps 1,220.76 points to 57,613.11; Nifty tanks 355 points to 17,203.90
મહત્વનું છે કે, ભારતીય બજારો પણ સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 1466 અને નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઘટાડા બાદ ખુલ્યા છે. જોકે બજાર નીચલા સ્તરેથી બાઉન્સ બેક થયું છે. હાલમાં સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. પરંતુ ભારતીય બજારને ચિંતા છે કે જો અમેરિકામાં વ્યાજદર વધશે તો RBI ભારતમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. યુએસ ફેડ રિઝર્વના વડાના નિવેદન બાદ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડતો જોવા મળી રહ્યો છે. આ માત્ર એટલા માટે છે કારણ કે વિદેશી રોકાણકારો ફરીથી રોકાણ પાછું ખેંચી શકે છે.