યૂપીના મથુરાના ગોવર્ધન કસ્બામાં જંગલમાં બનેલા આશ્રમમાં સંદિગ્ધ સ્થિતિમાં 2 સાધુઓના મોત થયા છે. આ સિવાય અન્ય એક સાધુની હાલત ગંભીર હોવાથી હાહાકાર મચ્યો છે. જાણકારી મળતાં જ ડીએમ અને એસએસપી સહિત પોલીસ બળ સ્થળ પર પહોંચ્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. ગંભીર સ્થિતિમાં એક સાધુને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.
મથુરામાં 2 સાધુઓના મોતથી મચ્યો હાહાકાર
ત્રીજા સાધુની હાલત ગંભીર
ઝૈર આપીને હત્યા કરવાનો લગાવાયો આરોપ
મળતી જાણકારી અનુસાર ગોર્વધનના ગિરિરાજ બગીચા પાછળ એક આશ્રમમમાં 3 સાધુ છેલ્લા એક વર્ષથી આશ્રમ બનાવીને ભજન સાધના કરી રહ્યા હતા. શનિવારે સવારે 10 વાગે આશ્રમમાં 2 સાધુના મોતની માહિતી મળતાં આખા વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. આશ્રમમાં ગાયના દૂધથી બનાવીને આ લોકોને ચા આપવામાં આવી ત્યાર પછી આ ઘટના બની છે. સાધુના ભાઈએ ઝૈર આપીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાઈએ લગાવ્યો ઝૈર આપીને મારવાનો આરોપ
2 સાધુઓ ગોપાલ દાસ અને શ્યામ સુંદર દાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. રામબાબૂ દાસને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા છે. તેમની સ્થિતિ ચિંતાજનક છે. મૃતક સાધુ ગોપાલદાસના ભાઈએ ટીકમે આરોપ લગાવ્યો છે સાધુઓની ઝૈર આપીને હત્યા કરાઈ છે અને આશ્રમમાંથી પણ દવાઓની સ્મેલ આવી રહી છે. આ કેસમાં વીડિયોગ્રાફી કરીને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.