વીટીવીના ઓપરેશન દ્રોહને લઇ સરકાર સફાળી જાગી છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ વીટીવી સાથે વાતચીત કરી જેમાં તેઓએ કહ્યું કે, વીટીવીએ 8 કોલેજોમાં સ્ટીંગ ઓપરેશન કર્યું છે અને સરકારની આંખો ખોલી છે.
જેને લઇ આજે રવિવાર હોવા છતાં તમામ શૈક્ષણિક કાર્યાલયો પર તપાસ થશે. તપાસ માટે સરકારે 8 ટીમો બનાવી છે. આજે રવિવારના દિવસે પણ 8 કોલેજોની ઓફિસ ચાલુ રહેશે. ડમી વિદ્યાર્થીઓની સંસ્થા એકાઉન્ટ ખોલાવે તે સરકાર સામેનુ ફ્રોડ કહેવાય. આ મામલે સંપૂર્ણ જવાબદારી સંસ્થાઓની જ રહેશે. જબાવદારો સામે કડક પગલા લેવાશે. એક પણ ગુનેગારોને સરકાર નહીં છોડે.
શું છે સમગ્ર મામલો
VTVએ શિક્ષણ માફિયા અને સરકારની મીલીભગતનો પર્દાફાશ કર્યો છે. VTVના ઓપરેશન દ્રોહમાં શિક્ષણ જગતના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને જોઇને તમે ચોંકી જશો. ઓપરેશન દ્રોહમાં જોવો કેવી રીતે ચાલી રહ્યું છે શિષ્યવૃત્તિનું કૌભાંડ.
ડમી આદીવાસી બાળકોના એડમિશન લઇને સરકાર પાસેથી શિષ્યવૃત્તિ મેળવાઇ રહી છે. મહેમદાબાદની D.A ડિપ્લોમા એન્ડ એન્જિનિયરિંગમાં પણ બોગસ શિષ્યવૃત્તિ કાંડ સામે આવ્યું છે.
જૂનાગઢની કોલેજમાં પણ તપાસ
VTVના ઓપરેશન "દ્રોહ" ની અસર પડી. સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જૂનાગઢની એનઆર વેકરીયા કોલેજમાં તપાસ કરવામાં આવશે. આજે ગાંધીનગરની ટીમ જૂનાગઢની એનઆર વેકરીયા કોલેજમાં તપાસ કરશે.
વીટીવીના સ્ટીંગ ઓપરેશનમાં કોલેજમાં શિષ્યવૃત્તિ કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. ડમી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ કોલેજો હડપ કરી કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે.
આ રીતે ચાલતું હતું સમગ્ર કૌભાંડ
સરકાર દ્વારા ડિપ્લોમામાં ઓનલાઈન એડમિશન માટે અરજીઓ મંગાવાય છે
ઓનલાઈન દરમિયાન બધુ ઠીક ચાલે
ઓનલઈન એડમિશન વખતે અનેક કોલેજોમાં સીટો ખાલી પડી રહે છે
ઓનલાઈન પ્રક્રિયા બાદ કોલેજ ઓફલાઈન સીટો ભરવા એસીપીસી પાસે મંજુરી માંગે છે
મંજુરી મળ્યા બાદ ધોરણ 10 પછી ભણવાનું છોડી દીધેલા વિદ્યાર્થીઓને એજન્ટો શોધે છે
આ બાળકો પાસેથી એજન્ટો થોડાક પૈસાની લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ આવે છે
ડોક્યુમેન્ટ આધારે કોલેજમાં ઓફલાઈન એડમિશન થાય છે
એડમિશન બાદ શિષ્યવૃતિના ફોર્મ ભરવામાં આવે છે
આ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓના ખાતામાં પડે છે અથવા ફી શિપ કાર્ડ હોય તો કોલેજના ખાતામાં પડે છે
કોલેજ દ્વારા તમામ ડમી વિદ્યાર્થીઓના ખાતાઓ કોઈ ચોક્કસ નક્કી કરેલી એક જ બેન્કમાં ખોલાવે છે
શિષ્યવૃતિ જમા થયા બાદ વિદ્યાર્થીની ખોટી સાહી કરી કોલેજ પૈસા ઉપાડી લે છે
આ તમામ પ્રક્રિયાના કૌભાંડમાં વિદ્યાર્થીથી લઈ સામાજિક કલ્યાણ વિભાગ સામેલ હોય છે