કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાઓને ધ્યાને રાખીને તથા લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પર પડનારી અસરને દૂર કરવા માટે સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકાર તેના માટે 1.5 લાખ કરોડ રૂપિયા આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે.
કોરોનોને હરાવવા દેશ કટીબદ્ધ
મોદી સરકાર જાહેર કરી શકે છે મોટું પેકેજ
મામલાની જાણકારી રાખનારા સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી કાર્યાલય, નાણા મંત્રાલય તથા રિઝર્વ બેંક વચ્ચે હાલ આ મામલે વાતચીત ચાલી રહી છે.
સીધી જ ખાતામાં જમા થશે પૈસા
સૂત્રો પૈકીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રોત્સાહન પેકેજ 2.3 લાખ કરોડ રૂપિયા સુધીનું હોઇ શકે છે, જો કે, અંતિમ આંકડાને લઇને વાતચીત ચાલી રહી છે આ અઠવાડિયાના અંત સુધીમાં તેની જાહેરાત થઇ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ પૈસાનો ઉપયોગ 10 કરોડ જનતાના એકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરીને લોકડાઉન સમયે સૌથી વધુ પ્રભાવિત થયેલા બિઝનેસની મદદ કરવા માટે કરવામાં આવી શકે છે.
દુનિયાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસ
ભારત દ્વારા બુધવારે આગામી 21 દિવસ સુધી લોકડાઉનની ઘોષણા કર્યા પછી, દેશની 130 મિલિયન વસ્તી પોતાનું ઘર છોડી શકશે નહીં. કોરોના વાયરસ સંકટ સામે લડવાનો આ વિશ્વનો સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસ છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 562 કેસ નોંધાયા છે અને દસ લોકોનાં મોત નીપજ્યાં છે. પીએમ મોદીએ મંગળવારે સાંજે ત્રણ અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી છે.
વધુ લોન લઇ શકે છે સરકાર
બંન્ને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગત મુજબ, નાણાકીય વર્ષ 2020-21 માટેની લોનમાં વધારો કરી શકે છે. સરકારે આગામી નાણાકીય વર્ષ માટે 7.8 લાખ કરોડ રૂપિયાની લોન લેવાની યોજના બનાવી છે.
RBIની વિશેષ સુવિધાઓને પણ ઉપયોગ
તેમણે વધુમાં કહ્યું કે, જો રોકડની અછત સર્જાઇ તો કેન્દ્ર સરકાર RBI વેજ એન્ડ મિંસ સુવિધાઓને પણ ઉપયોગ કરી શકે છે. જો કેન્દ્રીય બેંક દ્વારા રાજ્યનો આપનારી ઓવરડ્રાફ્ટની સુવિધા છે.
આ પહેલા પણ લેવાયા છે અનેક નિર્ણય
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર પડનારી અસરને દૂર કરવા માટે સરકાર ઝડપથી એક પેકેજની જાહેરાત કરશે. આ સિવાય, રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન સહિતની કેટલીય સેવાઓની જાહેરાત કરશે.