સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે આજે ફરી કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીની ટીમ અહેમદ પટેલના નિવાસસ્થાને પહોંચી છે. અને તેમની પૂછપરછ કરી રહી છે.
આજે ફરી કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પૂછપરછ
ED આજે ફરી અહેમદ પટેલની કરશે પૂછપરછ
અહેમદ પટેલના નિવાસસ્થાન પહોંચી EDની ટીમ
વડોદરાના સંડેસરા ભાઇઓ પર 5, 300 કરોડના કૌભાંડનો આરોપ છે. ત્યારે અહેમદ પટેલને સાંડેસરા બંધુ સાથેના સંબંધો મામલે પણ પૂછપરછ કરાશે.
2014 પહેલાં નીતિન સાંડેસરાએ ખોટી સંપતિઓ દર્શાવી અને આંધ્ર બેંક અને એની સંબંધિત બેંકો પાસેથી રૂ.5000 કરોડની લોન લીધી હતી. 31 ડિસેમ્બર 2016 એ નીતિન સાંડેસરાની આ લોન રૂ.5383 કરોડ સાથે NPA જાહેર થઇ. ત્યારે EDએ નીતિન સાંડેસરા સામે કેસ નોંધી કાર્યવાહી કરી. અને ખોટી રીતે લોન અપાવનાર આંધ્ર બેંકનાં પૂર્વ ડાયરેક્ટર અનૂપ ગર્ગ સામે પણ કાર્યવાહી થઇ.
આઉપરાંત 200 શેલ કંપનીઓ દ્વારા હવાલા કૌભાંડ કરવાં બદલ CBIએ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા, સીએ હેમંત હઠી, અનૂપ ગર્ગ અને અન્ય 20 જેટલાં લોકો પર મની લોન્ડરિંગ અંતર્ગત કાર્યવાહી કરી. અને જૂન 2018 સુધીમાં ED એ સાંડેસરા ગ્રુપની વિવિધ સંપત્તિઓ જપ્ત કરી લીધી હતી. ઇડીએ સ્ટર્લિંગ બાયોટેક, પ્લાન્ટ્સ, વિવધ શેર અને 200 બેંક અકાઉન્ટસ મળી કુલ રૂ.4700 કરોડની વિવિધ સંપત્તિઓ જપ્ત કરી હતી.
નીતિન સાંડેસરાએ હવાલા કારોબાર દ્વારા અનેક વાર અહમદ પટેલનાં ઘરે રૂપિયાથી ભરેલાં બેગ પહોચાડ્યાનો આરોપ છે. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન પટેલ રૂપિયા પહોંડવામાં આવતા હોવાનો આરોપ છે. જેને લઇ અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે.