બિહારમાં ફરીથી લોખંડનો પુલ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. ચોર 14 વર્ષ જૂના પુલનો 40 ટકા ભાગ કાપીને લઈ ગયા હતા.
બિહારમાંથી વિચિત્ર ઘટના સામે આવી
ચોર લોકો પુલ કાપીને લઈ ગયા
ગેસ કટરથી થોડો થોડો પુલ કાપીને લઈ જતાં હતા
બિહારમાં ફરીથી લોખંડનો પુલ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. ચોર 14 વર્ષ જૂના પુલનો 40 ટકા ભાગ કાપીને લઈ ગયા હતા. આ ઘટના બાંકાના ચાનન વિસ્તારના કાંવરિયા બેલી બ્રિજની છે. રોહતાસ અને જહાનાબાદ બાદ પુલ ચોરીની આ ત્રીજી ઘટના છે.
લોકોને જ્યારે ચોરીની જાણ થઈ તો, તેઓ પણ દંગ રહી ગયા હતા. ચોર રોજે રોજ પુલનો થોડો થોડો ભાગ ચોરીને લઈ જતાં હતાં. પુલ ચોરીની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પુલની સાઈડ અને ફુટપાથનો મોટા ભાગનો હિસ્સો ગાયબ છે. આ કારણે હવે તેના પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સીનિયર અધિકારીએ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ગેસ કટરથી પુલ કાપી ગયા
લોકોનું કહેવુ છે કે, ચોર ગેસ કટરથી પુલ કાપી રહ્યા છે. ત્રણ મહિનામાં તેમણે અડધો પુલ ચોરી કરીને લઈ ગયા હતા. પણ પોલીસ અને પ્રશાસનને જરાં પણ જાણ ન થવા દીધી. તેમણે જણાવ્યું હતું કે, ચોર પુલની એક સાઈડ ગેસ કટરથી કાપી રહ્યા હતા. લગભગ 40 ટકા ભાગ ચોર ચોરી કરીને લઈ ગયા હતા. જો કે, આ મામલે અત્યાર સુધીમાં સરપંચ કે અને અન્ય લોકોએ પોલીસને જાણકારી આપી નહોતી.
2008માં બનાવ્યો હતો પુલ
કાંવડિયા પથના ઝાઝા અને પટનિયાને જોડતો આ પુલનું ઉદ્ધાટન 2008માં થયું હતું. પુરની સ્થિતિમાં દેવધર જવા માટે લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. લગભગ 10 વર્ષથી આ પુલ બનાવાની વાત ચાલી રહી હતી. તેથી લોકોને અસુવિધા ન થાય તેના માટે કલેક્ટરે તાત્કાલિક આ પુલ બનાવાની વાત કરી હતી.