રાજ્યમાં લેવામાં આવતી ધોરણ-12 સાયન્સની પરિક્ષામાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવે તેવી શક્યતા છે. આ મામલે મંગળવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળશે. આ બેઠકમાં 80 પ્રશ્ન સબ્જેક્ટીવ અને 20 પ્રશ્ન ઓબ્જેક્ટીવ રાખવાના નિર્ણય પર મહોર લાગી શકે છે.
આ બેઠકમાં વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. મળતી માહિતી મુજબ 8 મહિનાથી આગેવાનો દ્વારા 50 ટકા ઓબ્જેક્ટીવ અને 50 ટકા સબ્જેક્ટીવ કરવાની માગ કરવામાં આવી રહી છે.
આ મામલે વાલી આગેવાનો દ્વારા અનેક વખત શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી છે. સાયન્સ પ્રવાહની પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર થતા હોવાથી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓને પરેશાની થાય છે જેના માટે વિદ્યાર્થીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરાતા વાલીનો વિરોધ
ધોરણ-12 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરાયો છે. ધોરણ 12 સાયન્સમાં NCERTનો અભ્યાસક્રમ તથા નવી પરીક્ષા પદ્ધતિ અપનાવાશે. જેને લઇને વાલીઓએ વિરોધ કર્યો હતો અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જૂની પરીક્ષા પદ્ધતિ અમલ કરવા રજૂઆત કરી હતી. નવી પદ્ધતિમાં 50 ટકા સબ્જેક્ટીવ અને ઓબ્જેક્ટીવની જગ્યાએ હવે 80 ટકા સબ્જેક્ટીવ સવાલો રહેશે. જેને લઇને વાલીઓએ વિરોધ કરી રહ્યા છે.