વડોદરાઃ રાજ્યમાં દરવર્ષે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લાખો વિધાર્થીઓ આપે છે. જેમાંથી મોટાભાગના વિધાર્થીઓ પાસ થાય છે તેવા આંકડા સરકાર રજુ કરે છે. પરંતુ વડોદરામાં સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ સંસ્થાએ કરેલા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડા રાજ્ય સરકાર સહિત તમામ શિક્ષણવિદોને વિચારતા કરી દે તે પ્રકારના છે.
રિસર્ચમાં શું હકીકત સામે આવી?
ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે વડોદરાના સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ સંસ્થાને સંશોધન કરવા કહ્યું હતું. તેને લઈને મંત્રાલયે આ સંસ્થાને ગ્રાન્ટ પણ ફાળવી હતી. ગુજરાતમાં ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં છેલ્લા 20 વર્ષમાં કેટલા વિધાર્થીઓ નાપાસ થયા છે તેમ જ નાપાસ થયેલા વિધાર્થીઓ હાલમાં શું કરે છે તે માટે સંશોધન કરાયું હતું. આ રિસર્ચ કરવા માટે જયેશ પંડ્યા અને લેન્સી લોબો છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યા હતા.
રિસર્ચ બાદ સામે આવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના 85 લાખ વિધાર્થીઓ નાપાસ થયા છે. જેમને પોતાનો અભ્યાસ છોડી દીધો છે. સૌથી રસપ્રદ વાતએ છે કે નાપાસ થયેલા બધા જ વિધાર્થીઓમાંથી હાલમાં કોઈ બેરોજગાર નથી. તમામ વિધાર્થીઓ નોકરી કે વેપાર કરી રોજગારી મેળવી રહ્યા છે.
ધોરણ 10માં છેલ્લા 20 વર્ષમાં કેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી અને કેટલા નાપાસ થયા તે આંકડાની વાત કરીએ તો.... વર્ષ પરીક્ષા આપનાર નાપાસ વિધાર્થી
1998-2002 27 98 003 11 80 979
2003-2007 27 26 693 9 04 276
2008-2012 41 68 370 14 76 739
2013-2017 51 39 389 21 80 065 કુલ 1 48 32 455 57 42 059
છેલ્લા 20 વર્ષમાં ધોરણ 10ના 40 ટકા જ્યારે ધોરણ 12ના 27 ટકા વિધાર્થીઓ નાપાસ થયા હતા. તેમ જ વર્ષ 2010થી વિધાર્થીઓના પાસ થવાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. આટલું જ નહીં ધોરણ 10માં નાપાસ થતા મોટાભાગના વિધાર્થીઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થાય છે. આ ઉપરાંત 85 લાખ વિધાર્થીઓ નાપાસ થયા હતા. તેમાંથી કેટલાક વિધાર્થીઓ ખેડૂત પુત્ર કે પુત્રી હતી. જેઓ હાલ પોતાની ખેતી હોવા છતાં ખેતીના વ્યવ્સાય કરવા માગતા નથી. તેઓ માત્ર નોકરી કરી રૂપિયા કમાવવા માગે છે. એટલે કે રાજ્યમાં નવી પેઢી ખેતીના વ્યવસાયથી દૂર ભાગી રહ્યા છે. રિસર્ચર જયેશ પંડ્યાએ સરકારને ધોરણ 10 અને 12માં નાપાસ થતા વિધાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે કેટલીક મહત્વની ભલામણો મોકલી છે. જેમાં ધોરણ 4 બાદ નાપાસ વિદ્યાર્થીને આગળના ક્લાસમાં ન મોકલવા અને ધોરણ 8માં બોર્ડની પરીક્ષા લેવી ફરજિયાત કરવી જોઈએ. આ ઉપરાંત ધો 10 બોર્ડની પરીક્ષા રદ્ કરવી અને ધોરણ 8 બાદ જે વિદ્યાર્થીને અભ્યાસ ન કરવો તેને વોકેશનલ ટ્રેનિંગમાં મોકલવા જોઈએ આ સલાહ આપવામાં આવી હતી.
ગુજરાતમાં બેરોજગારીનો દર ખુબ જ ઓછો છે. તેમ જ આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં 58 092 જેટલા સ્કિલ્ડ 65 1365 જેટલા સેમી સ્કિલ્ડ અને 4 57 174 જેટલા લેસ સ્કિલ્ડ યુવાનોની જરૂર પડનાર છે. આમ જો યુવાનોના શિક્ષણ પર યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો રાજ્યમાં ઉધોગોને જોઈએ તેવા કર્મચારીઓ મળેશે નહીં તેવો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે સરકાર બોર્ડની પરીક્ષામાં નાપાસ થનાર વિધાર્થીઓના જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ત્યારબાદ રિસર્ચરોની ભલામણો સ્વીકારે છે કે પછી હાલની નીતિ જ આગળ ધપાવી રાખે છે તે જોવાનું રહ્યું...