5 માર્ચ 2020ને ગુરૂવારથી ધોરણ10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. અમદાવાદમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 1.96 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10ના 1.17 લાખ, ધોરણ -12 સામાન્ય પ્રવાહના 62,086 અને ધોરણ-12 સાયન્સના 17,151 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધો.10 અને 12ના 1.96 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો. 10ના 1.17 લાખ વિદ્યાર્થીઓ
ધો. 12ના સામાન્ય પ્રવાહના 62,086 વિદ્યાર્થીઓ
ધો. 12ના સાયન્સ પ્રવાહના 17,151 વિદ્યાર્થીઓ
653 પરીક્ષાકેન્દ્રો CCTV
અમદાવાદમાં લગભગ 653 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીમાંથી એક ટાસ્ક ફોર્સ પરીક્ષાઓનું નિરીક્ષણ કરશે. તેમજ DEOની ઓફિસના અધિકારીઓ પણ નજર રાખશે.
અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના 7 કેન્દ્રોને સંવેદનશીલ જાહેર
શહેરને 34 પરીક્ષા કેન્દ્રો સાથે સાત ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના 7 કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં સખત મોનિટરિંગ થશે. અમદાવાદના સત્સંગી વિદ્યાલય, બાપુનગર, એચ બી મહેતા મોર્ડન હાઈ સ્કૂલ કોટ વિસ્તાર કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા છે. અમદાવાદ ગ્રામ્યની ભુવાલડી, ફેદરા ઉપરાંત 3 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષે માર્ચ 2020માં એન્યુઅલ પેટર્નના રીપિટરોની પ્રથમવાર પરીક્ષા લેવાશે. આ વર્ષે મુખ્ય ચાર વિષયો ઉપરંત હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષામાં NCERTના નવા કોર્સ મુજબ પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે જુના કોર્સ મુજબ લેવનારી ધો.12 સાયન્સની પરીક્ષા માટે 23000થી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. જે રીપિટર તરીકે પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓ આવતીકાલે બેઠક વ્યવસ્થા જોઈ શકશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ આવતીકાલે બપોર 2થી 5 વાગ્યા સુધીમાં જોઈ શકશે. પરીક્ષા કેન્દ્રોને ખુલા રાખવા સ્થળ સંચાલકોને શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામા આવ્યો છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પેપરલીક થતું અટકાવવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.