શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર વીર સાવરકર સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું કે જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે છે તે કોઈ પણ વિચારધારા અથવા પાર્ટીમાંથી હોય. તે લોકોએ બે દિવસ માટે અંદામાનની સેલ્યુલર જેલમાં રહેવા દો. જ્યાં વીર સાવરકરને બંધક બનાવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓને સાવરકરના બલિદાન અને યોગદાનની અનુભૂતિ થશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
વીર સાવરકરને લઇને રાઉતે કર્યા હલ્લા બોલ
રાઉતે કહ્યું સાવરકર મહાન હતા અને મહાન રહેશે
Sanjay Raut,Shiv Sena: Those who oppose Veer Savarkar, they maybe from any ideology or party, let them stay for just two days at the cell in Andaman cellular jail where Savarkar was lodged.Only then will they realize his sacrifice and his contribution to the nation pic.twitter.com/8J749b5dF4
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સેવા દળના પુસ્તક માટે સાવરકર દ્વારા કરવામાં આવેલા દાવા અંગે સંજય રાઉતે તીખી પ્રતિક્રિયા આપી હતી. સંજય રાઉતે કહ્યું હતું કે સાવરકર મહાન હતા અને મહાન રહેશે. જે લોકો સાવરકરની દેશભક્તિ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને ટીકા કરી રહ્યા છે, તેમના મનમાં ગંદકી છે.
Sanjay Raut,Shiv Sena on Belgaum border issue: Pakistanis,Bangladeshis and Rohingyas can enter India but someone from Maharashtra can't go to Belgaum(Karnataka)? This is wrong. We all are Indians. I will go there and meet people and attend programs, let their be prohibitions. pic.twitter.com/an144ppVLZ
સંજય રાઉતે બેલગામ સરહદ પર કહ્યું કે પાકિસ્તાની, બાંગ્લાદેશી અન રોહિંગ્યા ભારતમાં પ્રવેશ કરી શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં કોઇ વ્યક્તિ બેલગામ (કર્ણાટક) જઇ શકતો નથી? આ ખોટું છે. આપણે બધા ભારતીયો છીએ. હું ત્યાં જઇશ અને લોકો સાથે મુલાકત કરીશ અને કાર્યક્રમમાં હાજર રહીશ.