ભોજનમાં વધુ ખાંડ ખાવી એ આરોગ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.
ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા પાડો ચરી
પેકેજ્ડ ફૂડ ખાવાથી હંમેશા બચો
કોરોનાકાળમાં રહો સ્વસ્થ
તે તમારા હૃદયને નુકસાન તો કરે જ છે, પરંતુ તમારા વજનમાં પણ વધારો કરે છે. એમ પણ મીઠી વસ્તુઓમાં પોષણના મૂલ્યો ઓછા હોય છે, જેથી હવે કેટલાક કોન્શિયસ લોકો તેને ભોજનમાં લેવાનું ટાળે છે. ત્યારે હવે મીઠા ખાદ્યપદાર્થો પર કરાયેલા સંશોધનથી વધુ એક વાત સામે આવી છે કે હાઈફ્રૂકટોઝ લેવલવાળા ખોરાકથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રુક્ટોઝ એ ફળોમાં જોવા મળતો મીઠો પદાર્થ છે, જે ફળોના રસ અને મધમાં જોવા મળે છે. તે સોડા, કેન્ડી અને પેકેજ્ડ ખોરાક બનાવવા વપરાતા હાઇ-ફ્રુક્ટોઝ કોર્ન સિરપમાં પણ હોય છે. શરીરમાં વધતા ફ્રુક્ટોઝ આપણી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. જેનાથી ચેપ લાગવાની સંભાવના વધે છે. લોકોએ પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જ્યુસ, કેન્ડી, સોડા વોટર, પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયામાં હાઇ-ફ્રૂકટોઝ કોર્ન સિરપ વપરાય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે.
લંડનની ન્યુટ્રિશનિસ્ટ સિડની ગ્રીનના અહેવાલમાં જણાવાયું છે કે હાઈ ઇન્ફ્લેમેશન આપણી રોગપ્રતિકારક શક્તિ પર વધારાનું દબાણ લાવી શકે છે, જેથી આપણે બીમારીઓની ઝપેટમાં આવી શકીએ છે. જેથી ખોરાકમાંથી ફ્રુક્ટોઝ દૂર કરીને આપણે રોગપ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ.
આ પહેલીવાર નથી જ્યારે સંશોધન દ્વારા પુષ્ટિ થઇ છે કે મીઠી ચીજોનું વધુ સેવન આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે વધુ પડતી ખાંડ આપણા શરીરમાં ધમનીઓમાં બળતરા પેદા કરી શકે છે, જે તેની જડતામાં વધારો કરે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે સ્ટ્રોક, હાર્ટ એટેક, હાર્ટ ફેલની સંભાવના વધી જાય છે.