આપણા શરીરને હેલ્ધી રાખવા માટે શરીરનું દરેક અંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો શરીરનું કોઇ અંગ સારી રીતે કાર્ય ન કરે તો રોગ અને બીમારીને આમંત્રણ મળી જાય છે.
કિડનીની સમસ્યા હોય છે ગંભીર
આ વસ્તુઓથી દૂર રહેજો
કિડની સ્વસ્થ તો શરીર સ્વ્સ્થ
શરીરમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે, આપણી કિડની. જે શરીરનો બધો કચરો બહાર કાઢવામાં ખાસ પ્રકારની ભૂમિકા ભજવે છે. કિડની માનવશરીરનું એવું એક અંગ છે, જે ઘણાં તત્ત્વોનું બેલેન્સ બનાવીને પણ રાખે છે, શરીરમાં કોઇ હાનિકારક એસિડ હોય તો તેને બહાર કાઢવામાં તે મદદરૂપ થાય છે, જેથી કિડનીનું આરોગ્ય જળવાઇ રહે તે જરૂરી છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારી કિડની સ્વસ્થ રહે તો આ પાંચ વસ્તુઓથી દૂર રહેજો.
મીઠું
શરીર માટે મીઠું જરૂરી છે પણ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો કિડનીની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેથી મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
રેડ મીટ
રેડ મીટનું વધુ પડતું સેવન મેટાબોલિઝમને અસર કરે છે, જેથી તમારે મર્યાદિત માત્રામાં જ રેડ મીટનું સેવન કરવું જોઈએ એટલું જ નહીં, લાલ માંસનું વધુ પડતું સેવન કરવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે.
આર્ટિફિશિયલ સ્વીટનર કે મીઠાઈ
કોલ્ડ ડ્રિંક્સ કોને પીવું ન ગમે? પણ જો તમને આની આદત છે અથવા વધુ પ્રમાણમાં મીઠાઈઓ, કૂકીઝ અને ઠંડાં પીણાં પીઓ છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. આ બધી ખાણી-પીણીની વસ્તુઓમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ મોટી માત્રામાં થતો હોય છે, જેની કિડની પર ખરાબ અસર પડે છે.
આલ્કોહોલ
આલ્કોહોલ લિવર ફંક્શન પર જ નહીં, પરંતુ કિડની પર પણ ખરાબ અસર કરે છે. આ વાતની ખબર હોવા છતાં ઘણા લોકો શોખ અને દેખાદેખીમાં આલ્કોહોલનું સેવન કરતા હોય છે. જીવન જીવવા માટે આ નશામાંથી તમારે બહાર નીકળવાની જરૂર છે.
કોફી
સવારે ઊઠતાંની સાથે લોકોને ચા-કોફી જોઇતાં જ હોય છે, નહીં તો એમનો દિવસ બનતો નથી પણ જો તમે ઓફિસમાં કામ કરો છો, બિઝનેસ કરો છો અને થોડા થોડા ટાઇમે કોફી પીવાની આદત હોય તો કોફી પીવાનું પણ તમારી કિડની માટે ફાયદાકારક નથી. કોફીમાં કેફીન નામનું તત્ત્વ હોય છે, જે તમારી કિડનીને સીધી અસર કરે છે, જેના કારણે સ્ટોનની તકલીફ પણ ઊભી થઇ શકે છે.
વધુ પાણી પીવાથી કિડનીની સમસ્યામાં રાહત રહે છે, જો તમને કિડની અને પથરીની સમસ્યા હોય તો તમારે ગરમ પાણીનું સેવન કરવું જોઇએ. આખા દિવસમાં ત્રણથી ચાર લિટર પાણીનું સેવન કરવાથી સ્ટોનની સમસ્યામાં ફાયદો થાય છે. થાક લાગવો, પાચન સંબંધી સમસ્યાઓ તેમજ પેટમાં દુખાવો અને કબજિયાતની ફરિયાદ પણ પથરીના દર્દીને રહેતી હોય છે, જેથી ગરમ પાણી નિયમિત પીવાથી આ બધી સમસ્યામાં રાહત મળશે.