મોટી સંખ્યામાં તણાવનો શિકાર બની રહ્યા છે એવામાં ઘણાં બધાં એવાં ફૂડ્સ છે, જેમાં ઉચિત માત્રામાં વિટામિન-મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ મળી આવે છે. તેનું સેવન કરવાથી મગજ શાંત અને તંદુરસ્ત રહે છે.
મેન્ટલ હેલ્થને લઇને સજાગ રહેવાની આવશ્યકતા
કેટલાક ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાથી તણાવ ઘટે
આ ફૂડ્સનું સેવન કરવાથી મગજ શાંત અને તંદુરસ્ત રહે
આજે લોકો મોટી સંખ્યામાં તણાવનો શિકાર બની રહ્યા છે. જો આ પરેશાની પર કાબૂ મેળવવામાં ન આવે તો આ સમસ્યા ગંભીર રૂપ લે છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાની મેન્ટલ હેલ્થને લઇને સજાગ રહેવાની આવશ્યકતા છે. આ માટે સૌથી જરૂરી છે, ડાયટમાં યોગ્ય અને પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરવી. ઘણાં બધાં એવાં ફૂડ્સ છે, જેમાં ઉચિત માત્રામાં વિટામિન-મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ મળી આવે છે. તેનું સેવન કરવાથી મગજ શાંત અને તંદુરસ્ત રહે છે.
ચા-કોફીનું વધુ સેવન કરવાથી બચવું જોઇએ, કેમ કે તેમાં કેફીનની માત્રા વધુ હોવાના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સમસ્યા થાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ કેટલાંક સુપર ફૂડ્સને ડેઇલી ડાયટમાં સામેલ કરીને તણાવ ઘટાડી શકાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી તણાવ, ડિપ્રેશન ઓછું થવાની સાથે મૂડ પણ સારો રહે છે. યોગ્ય માત્રામાં સુપર ફૂડ્સના સેવનથી શરીરમાં સેરોટોનિન હોર્મોન્સ વધે છે.
અખરોટઃ
અખરોટ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે મગજને મજબૂત બનાવે છે. બાળક હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિએ ખાસ કરીને નાસ્તામાં તેનું સેવન કરવું જોઇએ, તેનાથી મૂડ સારો રહે છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ વધુ માત્રામાં હોવાથી મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. તેથી ડિપ્રેશન કે તણાવનો શિકાર થવાથી બચી શકાય છે.
લીલાં પાનવાળાં શાકભાજીઃ
રોજ લીલાં પાનવાળાં શાકભાજીનું સેવન કરવાથી મગજનો યોગ્ય વિકાસ થાય છે, તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, આયોડિનની સાથે વધુ માત્રામાં એિન્ટ-ઓક્સિડન્ટ તત્ત્વો મળી આવે છે. આ શાકભાજી આપણા શરીરની કોશિકાઓને નુકસાન થતું બચાવે છે. મગજને યોગ્ય રીતે કામ કરવાની શક્તિ મળે છે. આ શાકભાજીમાં પ્રો અને પ્રી-બાયોટિક ભારે માત્રામાં હોવાથી પેટની હેલ્થ સારી રહે છે અને વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહે છે.
ફ્રેશ સિઝનલ ફ્રૂટ્સઃ
ફળોમાં તમામ યોગ્ય તત્ત્વો હોવાની સાથે એિન્ટ-ઓક્સિડન્ટ, એિન્ટ-બેક્ટેરિયલ, એિન્ટ- વાઇરલ ગુણો હોય છે. આવા સંજોગોમાં તેનું રોજ સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે, તેમાં ફાઇબર અને એિન્ટ-ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોવાથી શરીરને તમામ પોષકતત્ત્વો સરળતાથી મળી જાય છે. વાત જો ડાયાબિટીસના દર્દીઓની કરીએ તો તેમણે રોજ એક સફરજનનું સેવન કરવું જોઇએ.