નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે. તંત્ર દ્વારા બોર ખોદી પાઈપ લગાડ્યા બાદ વાલ્વ લગાવવામાં આવ્યો નથી. વાલ્વ ન લગાવવામાં આવતા પ્રેશરની પાણી આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. એક તરફ જિલ્લામાં પાણીની તંગી અને બીજી તરફ પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાણીનો વેડફાટ થતા ટેન્કરમાં પાણી ભરવામાં આવી રહ્યુ છે. એક ટેન્કર ભરવાની સામે હજારો લીટર પાણી વેડફાટ થાય છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.