સ્ટેચ્યૂ ઓફ યૂનિટિની મુલાકાતે લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશખબર આવ્યાં છે. જેમાં સરદાર સરોવર અને નર્મદા ડેમની ટિકિટની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટિકિટની કિંમત 120 ઘટાડી 50 રૂપિયા કરી દેવામાં આવી છે.
50 રૂપિયામાં પ્રવાસીઓ શું જોઇ શકશે...
લોકોને 50 રૂપિયાની ટિકિટમાં નર્મદા ડેમ, સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ કરી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહારથી, ફલાવર ઓફ વેલી અને નર્મદા ડેમને નિહાળી શકશે. 50 રૂપિયાની ટિકિટમાં 30 રૂપિયાની ટિકિટનો પણ સમાવેશ કરાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 19 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત લઇ ચૂક્યાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાં જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. સરદાર સરોવર અને નર્મદા ડેમની ટિકિટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોર્મલ ચાર્જ 120 થી ઘટાડી 50 રૂપિયા કરવામાં આવ્યો છે.
આ 50 રૂપિયાની ટીકીટમાં પ્રવાસીઓને શું-શું જોવા મળે છે તે જોઇએ તો નર્મદા બંધ અને સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બહારથી, ફ્લાવર ઓફ વેલી અને નર્મદા ડેમ જોઇ શકાશે. રૂપિયા 50ની ટીકીટમાં રૂપિયા 30 ની ટિકીટનો પણ સમાવેશ કરવામાં આવશે.
જેથી પ્રતિવ્યક્તિ 20 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બહારથી નિહાળી શકાશે. અત્યાર સુધી 19 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકાયા છે.