સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સીટી બનશે. જે દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને કુદરતનું સાનિધ્ય મળી રહે અને તેમને અહીં રોકાવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાયું છે.
ભારતની વિદેશનીતિ પર નહેરૂ અને તેમની વિચારધારાની છાપ જોવા મળે છે પણ કેન્દ્ર સરકાર સરદાર પટેલની વિરાસતને લઈને આગળ વધવા માગે છે. હવે વિદેશમાં સેવાના ઉચ્ચ અધિકારી ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાતા પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપશે.
જે માટે નર્મદાના તટ પર બનેલી સરદાર પટેલની મૂર્તિ પાસે પહેલીવાર વિદેશ મંત્રાલયના વાર્ષિક મુખ્ય મિશનની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે આ કોન્ફરન્સ દરમિયાન વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે ટેન્ટ સીટી પણ બનાવવામાં આવશે. પહેલા આ કોન્ફરન્સ લોકસભા ચૂંટણીના પગલે ટાળવામાં આવી હતી. પણ હવે સપ્ટેમ્બર મહિનામાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારતીય રાજદૂતો અને ઉચ્ચાયોગ પણ ભાગ લેશે. આ કોન્ફરન્સનો હેતુ વિદેશમાં રહેતા ભારતીયોને સાધવાનો છે.