નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણ બાદ 3 લાખથી વધુ પ્રવાસીઓએ માત્ર 27 દિવસામાં મુલાકાત લીધી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા પણ વિશેષ સુવિધાઓ અહી ઉભી કરવામાં આવી છે. બોટિંગ રિસોર્ટ દ્વારા બોટ શરૂ કરાતા. પ્રવાસીઓએ બોટિંગની મજા માણી હતી.
અહીં પ્રવાસીઓ માટે સરકાર દ્વારા બે થી ત્રણ એજન્સીઓને હાયર કરી પેકેજ ટુરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે માત્ર 4 દિવસામાં 1500થી વધુ પ્રવાસીઓએ બોટિંગની મજા માણી આનંદની લાગણી વ્યક્ત કરી છે.
આપને જણાવી દઇએ કે વડોદરાના ડો.રાજેન્દ્રસિંહ રાઠોડ અને દુષ્યંતસિંહ પી રાઉલજી દ્વારા આ બોટિંગ શરૂ કરવામાં આવેલ છે. જે શરૂ થયાને આજે 4 દિવસ થયાં છે જેમાં 1500 થી વધુ પ્રવાસીઓએ બોટિંગ કરી સરદાર સરોવરમાં ફરવાની મઝા માણી હતી. હાલ નર્મદે હર બોટિંગ રિસોર્ટ દ્વારા બે બોટો મુકવામાં આવી છે. જેમાં 1 બોટ 150 પ્રવાસીઓની કેપેસીટી વાળી છે અને બીજી 70 પ્રવાસીઓની કેપેસીટી વાળી છે.
#StatueOfUnity માં પ્રવાસીઓનોની સંખ્યામાં વધારો 27 દિવસમાં 3 લાખ લોકોએ મુલાકત લીધી પ્રવાસીઓએ બોટિંગની માણી મોજ પ્રવાસીઓના ઉત્સાહમાં વધારો pic.twitter.com/UFnzyXARnw
સમય થતાં પ્રવાસીઓની આવકને જોઈ બીજી પણ બોટો લાવવામાં આવશે. હાલ એજન્સીના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓ ને મહારાષ્ટ્ર ની બોર્ડર સુધી લઇ જવાશે લગભગ 30 થી 40 કિમિ સુધી એક કલાક નો ફેરવવામાં આવશે.
પ્રવાસીઓને આ બોટિંગ પોઇન્ટ પર જવા A ફ્રેમના ચેકીંગ પોઇન્ટ પર જવાનું રહેશે અને જ્યાં નર્મદે હર બોટિંગ રિસોર્ટ દ્વારા એક પોતાની બસ મુકવામાં આવી છે. જે બોટિંગ પોઇન્ટ સુધી લઇ જશે અને બોટિંગ બાદ પુનઃ છોડી જશે જેનો કોઈ ચાર્જ લેવાશે નહીં.