સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પાણી પડવાના મામલે કોંગ્રેસે સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને તપાસની માગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, સરદાર પટેલના નામે મતની ખેતી કરનારાઓએ તેમની પ્રતિમામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. જેના પડદા હવે ખુલી રહ્યાં છે. ત્યારે સરદાર પટેલની પ્રતિમામાં ભ્રષ્ટાચાર થાય તેનાથી ગંભીર બાબત બીજી કોઇ ન હોઇ શકે.
તમને જણાવીએ કે, નર્મદાના કેવડિયા કોલોનીમાં ભારે વરસાદ આવતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં પાણી ભરાયા હતા. આ મામલે વીટીવીએ અહેવાલ રજૂ કરતા તંત્રના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં પાણીના નિકાલ કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી.