પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રમજીત સિંહની પ્રતિમા તોડી નાંખવામાં આવી. મહારાજા રણજીત સિંહની 9 ફૂટ ઉંચી પ્રતિમાનું આ વર્ષે જૂન માસમાં લાહોર ફોર્ટમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની પોલીસે આરોપીઓની ઇશનિંદાના કાનૂન હેઠળ એફઆઇઆર નોંધી છે.
મહારાજા રણજીત સિંહની પ્રતિમાને તોડનાર આરોપીઓ જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાથી નારાજ હતા. મહારાજા રણજીત સિંહ એક શીખ રાજા હતા. જેમણે 19મી સદીમાં ઉત્તર પશ્ચિમી ભારતીય ઉપ મહાદ્વીપ પર રાજ કર્યું. આરોપીઓના મૌલાના ખેરમ રિજવી તહરીક લબ્બેક પાકિસ્તાનથી સાઠગાંઠ બતાવાઇ રહ્યા છે. લાહોર ફોર્ટની દેખરેખની જવાબદારી લાહોર ઓથોરિટી પાસે છે અને એમણે આ ઘટનાને લઇને આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે ઇદ બાદ પ્રતિમાને ઠીક કરવામાં આવશે.
લાહોર ઓથોરિટીની પ્રવક્તા તાનિયા કુરેશીએ કહ્યું કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે લાહોર ફોર્ટની સુરક્ષામાં વધારો કરીશું તેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. પ્રતિમાના સમારકામનં કાર્ય આવતા સપ્તાહે શરૂ કરાશે. તેના પૂર્ણ થતા જ એ પબ્લિક માટે ફરી ખોલવામાં આવશે.'
મહારાણા રણજીત સિંહે પંજાબ પર લગભગ 40 વર્ષ સુધી રાજ કર્યું. 9 ફૂટની આ પ્રતિમા કાંસાની બનેલ છે. મહારાજા રણજીત સિંહ શીખ સામ્રાજ્યના પહેલા બાદશાહ હતા. તેમની મૃત્યું વર્ષ 1839માં થયું હતું. લાહોર ફોર્ટમાં મુકવામાં આવેલ પ્રતિમાને બનાવવામાં 8 મહીના લાગ્યા હતા.