ઈન્દોરમાં રામનું નિરાલા ધામ એવું મંદિર છે, જ્યાં ૧૦૮ વાર રામનું નામ લખીએ જ તો જ પ્રવેશ મળે છે. અહીં રાવણની બે મૂર્તિઓ છે તેનાં દર્શન કરતા પહેલાં રામ નામ લખવું ખૂબ જ જરૂરી છે. અર્થાત્ રાવણ જ રામનું નામ લખાવીને તેમના ગુણગાન કરાવી રહ્યો છે.
અહીં રાવણની મૂર્તિની સાથે વિભીષણ, કુંભકર્ણ, કૈકેયી સહિત રાવણનો આખો પરિવાર પણ છે. રાવણનું એક અલગ મંદિર પણ છે. તે સિવાય એક ભાગમાં કુંભકર્ણની પણ સૂતેલી મૂર્તિ લગાવવામાં આવેલી છે. એક મંદિર જ રામના નામનું છે, જેમાં ચારેય તરફ રામ નામ લખ્યું છે. અહીં કુતુબ મિનાર કરતાં પણ ઊંચી હનુમાનની ૫૧ ફૂટ ઊંચી મૂર્તિ બની રહી છે. જે ૨૦૦ ફૂટ ઊંચાઈ ઉપર લગાવવામાં આવશે. અહીંના રામભક્ત મંદિરના સેવક કહે છે કે આ મંદિરમાં રાવણની બે મૂર્તિઓ છે. અહીં રાવણ મૂર્તિઓ જોવા આવનાર રામ નામ લખવાની શરતે જ મંદિરમાં પ્રવેશ મેળવી શકે છે.
મંદિરમાં કોઇ સંચાલક નથી. અહીં કોઇ દાનપેટી પણ નથી. અહીં ક્યારેય તાળું પણ નથી લાગતું. ભક્તોને અનેક કિમી દૂરથી જ દર્શન થઇ શકે તે માટે મંદિરમાં ૨૦૦ ફૂટ ઊંચાઇ પર ૫૧ ફૂટની હનુમાન પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. તેથી તેની ઊંચાઇ ૨૫૧ ફૂટ થઇ જશે, જ્યારે કુતુબ મિનારની ઊંચાઇ ૨૩૭ ફૂટ છે.
મંદિરમાં ચારેબાજુ રામ લખ્યું છે. ૧૧ હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા મંદિરમાં ચારે બાજુ રામ લખ્યું છે. રામ દરબાર ઉપરાંત અહીં રાવણ, વિભીષણ, કુંભકર્ણ, કૈકેયી, શબરી સહિત રામાયણના અન્ય પાત્રોની પણ મૂર્તિઓ છે. ૧૯૯૦માં મંદિરની સ્થાપના થઇ હતી, ત્યારથી અવિરત નિર્માણ થઇ રહ્યું છે. અહીં ત્રણ કિમી દૂરથી પણ હનુમાનજીના દર્શન થશે. મંદિર બન્યા પછી હવે વિસ્તારમાં ઘણી ઇમારતો બની ગઇ છે. ભક્તો સહેલાઇથી પહોંચી શકે એ માટે ૨૦૦ ફૂટની ઊંચાઇ પર હનુમાનજીની મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે. મૂર્તિ સંપૂર્ણ બન્યા પછી ત્રણ કિમી દૂરથી હનુમાનજી ભક્તોને દર્શન આપશે.
મંદિરમાં પરિવાર સહિત શિવજીની પૂજા રાવણ કરી રહ્યો છે. બ્રહ્માજી, વિષ્ણુજી સહિત અન્ય દેવી-દેવતા રામ-નામ લખી રહ્યા છે. મંદિરના મુખ્ય દ્વારની બરાબર ઉપર હનુમાનજી બિરાજમાન છે, જેઓ રામચરિત માનસ સાંભળી રહ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં (હનુમાનજીના મંદિર) ઉપર ભગવાન રામેશ્વરમ સહિત ૧૨ જ્યોતિર્લિંગ વિરાજમાન છે.
હનુમાનજીની પાછળ પરિક્રમા સ્થળ ઉપર પાતાલ ભૈરવી મા બિરાજમાન છે. રાવણનું એક અલગ મંદિર છે. તેમાં વિભીષણ અને રાવણનો પરિવાર છે, જેઓ શિવજીની પૂજા કરી રહ્યા છે. એક હિસ્સામાં કુંભકર્ણ પણ છે, જેઓ શયન કરી રહ્યા છે. આ મંદિર ફક્ત રામ નામનું છે. અહીં દેવી-દેવતાઓથી લઇને રાક્ષસો સુધીની પ્રતિમાઓ છે.