કોરોના નાગરિકોની નિષ્કાળજી પર સવાર થઈને ત્રીજી લહેરનાં રૂપમાં ક્યારે પ્રવેશી જશે તે કહેવું જેટલું અઘરું છે તેટલું જ કળવું મુશ્કેલ. છેલ્લા 24 કલાકમાં વધ્યું કોરોના સંક્રમણ
તહેવારોની આડ લઈને કોરોના કરે છે વહેવાર
ઠંડીના ચમકારા જેવો સંક્રમણનો'ય ચમકારો
ચોવીસ કલાકમાં નવા 22 કેસથી ચિંતા-ઉચાટ
દેશ રસીકરણનો આંકડો 100 કરોડને પાર જતો રહેતા,નાગરિકોને જાણે એમ થઈ ગયું છે કે, કોરોનાને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાયો છે. અને જનતા નિષ્ફિકર થઈ ગઈ છે. પરિણામે, કોરોના નાગરિકોની નિષ્કાળજી પર સવાર થઈને ત્રીજી લહેરનાં રૂપમાં ક્યારે પ્રવેશ જશે તે કહેવું જેટલું અઘરું છે તેટલું જ કળવું મુશ્કેલ. છેલ્લા ત્રણ-ચાર દિવસની વાત કરીએ તો કોરોના સંક્રમણ વધ્યું છે અને તેનું પ્રમાણ આપે છે છેલ્લા 24 કલાકના આકડાઓ.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 કેસ નોંધાયા છે અને 5 દર્દીઓ વેટીલેટર પર છે. વડોદરામાં, સંક્રમણ રફતાર પકડી રહ્યાનો ભય સતાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 192 થઈ ગઈ છે. આજે કોરોનાને કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહી. રાજ્યભરમાં અત્યાર સુધી 10088 મૃત્યુ થયા છે.તો
14 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોચ્યો છે.
નવા 22 કેસ, વડોદરામાં ચિંતા
રાજ્યમાં વડોદરામાં 7 કેસ, સુરતમાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ સામે આવ્યા છે.તો વલસાડમાં 4 કેસ, જુનાગઢ અને કચ્છમાં એક-એક કેસ નવા નોંધાયા છે. રાજ્યભરમાં 3.53 લાખ નાગરિકોનું રસીકરણ થયું હતું અને અત્યાર સુધી રાજ્યમાં રસીના 7.02 કરોડથી વધુ ડોઝ અપાયા છે
દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 14, 348 નવા કેસ
ભારતમાં કોરોનાના મામલામાં ઉતાર ચઢાવ જારી છે. ગુરુવારની સરખામણીમાં આજે કોરોના વાયરસના મામલામાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાનું માનીએ તો ભારતમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 14, 348 નવા કેસ સામે આવ્યા છે. પણ મોતની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. દેશમાં શુક્રવારે 805ના મોત થયા છે. જેમાં કેરળનો આંકડો વધારે છે. જો કે મોતના મામલામાં અપ્રત્યાશિત વૃદ્ધિનું કારણ છે કે કેરળના જૂના ડેટાને નવા કોરોનાના આંકમાં સામેલ કરવામાં આવ્યા છે.
શુક્રવારે કોરોનાથી સાજા થનારાની સંખ્યા 19, 198 રહી
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં શુક્રવારે કોરોનાથી સાજા થનારાની સંખ્યા 19, 198 રહી. આ રીતે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,36,27,632 લોકો સાજા થયા છે. ત્યારે કુલ મામલાની સંખ્યા 3, 42, 46, 15 પાર કરી ચૂકી છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 1, 61, 334 છે અને અત્યાર સુધીમાં 4,57,191 લોકોના જીવ ગયા છે.
આકંડા મુજબ એક્ટિવ દર્દીની સંખ્યા કુલ મામલાના 0.47 ટકા છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછી છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોનો દર 98. 19 છે. ગત 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 345 મામલાનો વધારો થયો છે.
દેશમાં ક્યારે કેટલા કેસ મળ્યા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.