મોરબી દુર્ઘટના પગલે PM મોદીની અધ્યક્ષતા બેઠકમાં યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.
મોરબીમાં થયેલ પુલ દુર્ઘટના મામલો
ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર
PM મોદીની અધ્યક્ષતા મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
મોરબી દુર્ઘટના પર રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઇ હતી. ગાંધીનગરની આ બેઠકમાં તમામને મદદ પહોંચાડવા PM મોદીએ ભાર મુક્યો હતો. વધુમાં આવતીકાલે PM મોદી મોરબીની મુલાકાતે જશે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઇને 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
મોરબીની ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક
ઉલ્લેખનીય છે કે મોરબીમાં થયેલ દુર્ઘટને લઇને નરેન્દ્ર મોદી સતત અપડેટ મેળવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું હતું. આ વેળાએ નરેન્દ્ર મોદી મોરબીની ઘટનાને લઇને ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે અને દેશવાસીઓ પણ ખૂબ દુ:ખી થયા છે. દુ:ખની ઘડીમાં સૌની સંવેદના પીડિત પરિવારની સાથે છે, વધુમાં વધુમાં એકતાનગરના કાર્યક્રમ પણ PM મોદી મોરબીની ઘટનાને પગલે ભવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે હું એકતાનગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. વધુમાં તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે.
A decision was taken to observe state-wide mourning in Gujarat on Nov 2, for the deceased in #MorbiBridgeCollapse. The national flag will be flown at half-mast on govt buildings in the state & no functions/entertainment programs will be held, tweets Gujarat CM Bhupendra Patel https://t.co/gMDZgKooQOpic.twitter.com/kPgX7Y9YJT
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો
- પોલીસ દ્વારા 9 આરોપીઑની કરાઇ છે ધરપકડ