દેશમાં યાત્રીઓ એક રાજ્યથી અન્ય રાજ્યોમાં અવર જવર કરી રહ્યા છે ત્યારે કેટલાક રાજ્યોએ અન્ય રાજ્યોથી આવનારા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય કર્યો છે.
કોરોના મચાવી રહ્યો છે આતંક
આ રાજ્યોએ નેગેટિવ RT-PCR રિપોર્ટ કર્યો ફરજિયાત
તમે પણ એક રાજ્યથી અન્ય રાજ્યમાં એન્ટ્રી લો છો તો સાવધાન
દેશમાં હાલમાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ તોડી રહ્યા છે અને સાથે જ રોજ અધધધ કેસ આવી રહ્યા છે. ગઈકાલે દેશમાં 24 કલાકમાં 1.70 લાખ નવા કેસની સાથે 904 મોતથી રેકોર્ડ તૂટ્યો છે ત્યારે તેનો ખતરો જાણી શકાય છે. લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સમયે યાત્રીઓ પણ સતત એક રાજ્યથી અન્ય રાજ્યમાં અવર જવર કરી રહ્યા છે. જેને લઈને કેટલાક રાજ્યોએ આ યાત્રીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે. તો જાણો કયા રાજ્યો માટે આ નિયમ લાગૂ કરાયો છે.
કેરળ
મહારાષ્ટ્રના કેરળમાં કોઈ જાય છે તો તેણે નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય રીતે સાથે રાખવો પડે છે. આ રિપોર્ટ દરેક પ્રકારના યાત્રી માટે લાગૂ કરાય છે. ફ્લાઈટમાં મુસાફરી કરનાર પાસે 72 કલાક પહેલાનો રિપોર્ટ હોવો જરૂરી છે.
ઉત્તરાખંડ
અહીંની સરકારે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, એમપી અને છત્તીસગઢથી આવનારા યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ જરૂરી ગણાવ્યો છે. આ રાજ્યોના યાત્રીઓએ રાજ્યની સીમાઓ, રેલ્વે સ્ટેશનો અને દહેરાદૂન એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
મહારાષ્ટ્ર
ગુજરાત, દિલ્હી- એનસીઆર, ગોવા, રાજસ્થાન અને કેરળથી મહારાષ્ટ્ર આવનારા યાત્રીઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય રીતે બતાવવાનો રહેશે. આ નિયમ દરેક યાત્રીઓ પર લાગૂ થશે. ફ્લાઈટમાં મુસાફરી કરનારા માટે 72 કલાક પહેલાનો રિપોર્ટ માન્ય રહેશે.
રાજસ્થાન
રાજસ્થાન સરકારે રાજ્યમાં પ્રવેશ કરનારા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે. જેથી સંક્રમણને ઝડપથી અટકાવી શકાય.
મણિપુર
મહારાષ્ટ્ર અને કેરળથી આવનારા યાત્રીઓને માટે મણિપુરમાં પ્રવેશ કરનારા યાત્રીઓ માટે કોરોના ટેસ્ટ જરૂરી છે. આ નિયમ 24 ફેબ્રુઆરીથી એરપોર્ટ માટે પણ લાગૂ કરાયો છે.
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવનારા લોકો માટે થર્મલ સ્ક્રીનીંગ જરૂરી કરાયું છે. રાજ્યના ગૃહ વિભાગે 22 ફેબ્રુઆરીના આદેશમાં ભોપાલ, ઈન્દોર, હોશંગાબાદ, બૈતૂલ, સિવની, છિંદવાડા. બાલા ઘાટ, બડવાની, ખંડવા, ખરગોન, બુરહાનપુર, અલીરાજપુર અને મહારાષ્ટ્રની સીમાના જિલ્લામાં અધિકારીઓને દેખરેખ રાખવા કહ્યું છે.
હિમાચલ પ્રદેશ
અહી મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે કે હાઈ લોક વાળા 7 રાજ્યોમાં પંજાબ, દિલ્હી,મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને સાથે ઉત્તરપ્રદેશ પણ સામેલ છે. અહીં 72 કલાક પહેલાંનો રિપોર્ટ લાવવાનો જરૂરી રહેશે.
આસામ
રાજ્યમાં આવનારા દરેક યાત્રીઓના સ્વૈબ કે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો જરૂરી રહેશે.
જમ્મૂ કાશ્મીર
શ્રીનગર પહોંચનારા દરેક યાત્રીઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય રીતે બતાવવાનો રહેશે.
છત્તીસગઢ
અહીં સરકારે બહારથી આવનારા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ અનિવાર્ય કર્યો છે. આ સાથે કહેવાયું છે કે હવાઈ અડ્ડા પર યાત્રીઓને માટે ખાસ કરીને દિલ્હી અને મુંબઈથી આવનારાનું સ્ક્રીનીંગ કરાશે અને સાથે એસઓપીનું પાલન કરાશે. આ સિવાય અહીં આવનારા યાત્રીઓનું રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ તથા રાજ્યની સીમા પર ટેસ્ટિંગ કરાશે.
ગુજરાત
ગુજરાતમાં કોરોનાની ઝડપી ગતિને રોકવા માટે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સહિત અન્ય પડોસી દેશથી આવનારા લોકોને સડક માધ્યમથી તપાસ માટે સીમા ચોકીની વ્યવસ્થા કરી છે.