મે-જૂન 2020ના પહેલા સિરો સર્વેમાં 0.7 %, ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020ના બીજા સિરો સર્વેમાં 7.1, ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021ના ત્રીજા સિરો સર્વેમાં 24.1 સિરો પોઝિટીવીટી મળી હતી.
કોરોના સંક્રમણની પરિસ્થિતિ જાણવા માટે આદેશ આપવામાં આવ્યો
67.6 ટકા વસ્તી સંક્રમણમાં આવી ચૂકી
મુંબઈના બાળકોમાં પોઝિટીવીટી રેટ 51 ટકા
કોરોના સંક્રમણની પરિસ્થિતિ જાણવા માટે આદેશ આપવામાં આવ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ દરેક રાજ્યોને જિલ્લા સ્તરે સિરો સર્વે કરવાના આદેશ આપ્યા છે. જેના દ્વારા કોરોના સંક્રમણની પરિસ્થિતિ શું છે તે ખ્યાલ આવે. કેન્દ્ર સરકારે કહ્યું કે ICMR ના સંપર્કમાં રહી આ સર્વેને અંજામ આપે અને તેને જલ્દીથી જલ્દી પૂર્ણ કરે. આ પહેલા ચોથા સિરો સર્વે દરમિયાન ICMRએ સ્પષ્ટ કર્યું હતું કે આ પરિણામો રાજ્યના છે. જેને જિલ્લા સ્તર પર કરવાની જરૂર છે.
67.6 ટકા વસ્તી સંક્રમણમાં આવી ચૂકી
ચોથા સિરો સર્વેમાં એ સ્પષ્ટ થયું કે 67.6 ટકા વસ્તી સંક્રમણમાં આવી ચૂકી છે. ICMR એ આંકડા બહાર પાડયા હતા, તે મુજબ મધ્યપ્રદેશ 79 %, રાજસ્થાન 76.2 %, બિહાર 75.9 %, ગુજરાત 75.3 %, છત્તીસગઢ 74.6 %, ઉત્તરાખંડ 73.1 %, આંધ્રપ્રદેશ 70.2 ટકા, કર્ણાટક 69.8 ટકા, તમિલનાડુ 69.2 %, ઓડિશા 68.1, પંજાબ 66.5 %, તેલંગાણા 63.1 %, જમ્મુ કાશ્મીર 63 %, ઝારખંડ 61.2 %, બંગાળ 60.9 %, હરિયાણા 60.1 %, મહારાષ્ટ્ર 58 %, આસામ 50.3 %, કેરળ 44.4 %
મુંબઈના બાળકોમાં પોઝિટીવીટી રેટ 51 ટકા
મુંબઈના છેલ્લા સર્વેમાં કુલ 2,176 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 50 ટકા બાળકોમાં એન્ટિબોડી મળી હતી. 51 ટકા બાળકોમાં પોઝિટીવીટી રેટ મળ્યો હતો. 10 થી 14 વર્ષની ઉંમરના સૌથી વધુ 53.43 ટકા બાળકો સંક્રમિત થયા છે. 1 થી 4 વર્ષના બાળકોમાં 51. 04 ટકા બાળકોમાં એન્ટિબોડી બની ગઈ છે. વૃદ્ધોમાં પોઝિટિવિટી રેટ 63.5 ટકા નોંધાયો છે અને બાળકોમાં આ 51 ટકા જોવા મળ્યો છે. સ્ટડી કરના એમ્સના કમ્યુનિટી મેડિસિનને ડોક્ટર પુનીત મિશ્રાએ કહ્યુ કે આ આંકડા જણાવે છે કે જેટલું મોટું સંક્રમણ જોવા મળશે તેટલું જ બાળકોમાં જોવા મળશે.