યુવરાજસિંહનો આરોપ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કોઈ ફરિયાદ થઇ નથી. આરોપીઓ હજુ પણ ફરાર છે.સામે હર્ષ સંઘવીનું નિવેદન, ગેરરીતિ અંગે FSLનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે
પેપરકાંડ મામલે હર્ષ સંઘવીનું નિવેદન
પેપરકાંડ મામલે તપાસ ચાલી રહી છે : હર્ષ સંઘવી
"ફાસ્ટ ટ્રેક પર કૌભાંડીઓ સામે કાર્યવાહી કરાશે"
પેપર લીકમાં થયેલી તપાસ મામલે ફરી યુવરાજસિંહ જાડેજાએ સરકાર સામે બાયો ચડાવી છે. બિન સચિવાલયથી હેડક્લાર્ક અને હવે ઉર્જા વિભાગની ભરતીમાં થયેલી ધપલાબાજી અને તેમાં થયેલી કાર્યવાહી પર યુવરાજસિંહે બપોરે એક વાગ્યે પ્રેસ સંબોધન કરી આકરા પ્રહાર કર્યા છે. યુવરાજ સિંહનું કહેવું છે કે પેપર લીક મામલે કોઈ કાર્યવાહી નથી થઈ ખાસ કરીને જવાબદાર અધિકારીઑ સામે. આ આરોપ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે સરકારી પરીક્ષાઓ અંગે થતા તમામ આક્ષેપોમાં તપાસ થઈ છે.
પરીક્ષાઓ અંગે રાજનીતિ ન કરવા વિનંતીઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
વધુમાં હર્ષ સંઘવીએ યુવરાજસિંહના આરોપનો જવાબ આપતા કહ્યું હતું કે રાજસ્થાનમાં તે લોકોની સંડોવણી વાળાને સસ્પેન્ડ કરાયા છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી આગળ કાર્યવાહી થશે. આગામી સમયે આવનાર પરીક્ષા અંગે પણ તૈયારીઓ વ્યવસ્થિત ચાલી રહી છે. પરીક્ષાઓ અંગે રાજનીતિ ન કરવા સૂચન કરતાં કહ્યું હતું કે તૈયારીઓ કરનાર વિદ્યાર્થીઓ આની પર અસર થતી હોય છે. પરીક્ષાના પરિણામો આવે તે પહેલા કાર્યવાહી થશે. ફાસ્ટ ટ્રેક પર કૌભાંડીઓ સામે કડક પગલા લેવાશે.
અનેક જિલ્લાઓમાં OMR શીટમાં સેટિંગ થાય છે: યુવરાજસિંહ
યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે અગામી પરિક્ષાઓમાં જે ગેરરીતી થઈ છે. તેવી હવેની પરિક્ષામાં ન થવી જોઈએ. OMR શીટમાં સેટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમા સાબરકાંઠા અને અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં સેટિંગ થાય છે તે વાતનો તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી નાણા આપવામાં આવે છે. જેથી કૌભાંડીઓને સજા મળવી પણ જરૂરી છે.
13 ફેબ્રુઆરીએ યોજાનાર બિન સચિવાલયની પરીક્ષામાં વિશ્વસનીયતા પર: યુવરાજસિંહ
OMRમાં સેટિંગ કરવામાં આવતું હોવાના દાવા સાથે તેમણે સાબરકાંઠા,અરવલ્લી,મહેસાણા,સુરેન્દ્રનગર,ભાવનગર જિલ્લાનો ખાસ ઉલ્લેખ કરી આ જિલ્લામાં OMRમાં ગોઠવણ કરી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી નાણાં આપવામાં આવે છે તેવો ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે હવે 13 ફેબ્રુઆરીએ યોજાનાર પરીક્ષામાં વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો વિધાર્થીઓ હવે આગળની પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાય તેવી માંગ કરી રહ્યા છે.