હાર્દિક પટેલની રાજનીતિ પર આંદોલન સમયના સાથી ગીતા પટેલ, અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલે પોતાના સૂચક મત રજૂ કર્યા
હાર્દિક પટેલ મુદ્દે અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા
"હાર્દિક પાસે હજુ વિચારવાનો સમય છે"
"સરકાર સામે પાટીદારોની વાત સ્પષ્ટ"
SPGના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પર ખૂબ આકરા સવાલ ઊભા કર્યા છે. અને હવે રાજકારણ નહીં પણ સમાજ માટે કામ કરે તે સૂચક નિવેદન આપ્યું છે. તેઓ કહ્યું કે ભૂતકાળની અંદર જેટલા પણ અમારા સાથી મિત્રો ભાજપ સાથે જોડાયા અને હાલમાં એવી સ્થિતિ છે કે કેટલાયે ભાજપ છોડી દીધી છે હાર્દિક જશે તો આવું જ થશે. એ વાત 100 ટકા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈની વાત સાંભળવામાં આવતી નથી. પાર્ટી ઉપરથી આદેશ કરે તે પ્રમાણે કામ કરવું પડે, જ્યારે અમે લોકો સમાજને પડખે રાખી જે કઈ કરી રહ્યા છે તેમાં અમે જ સર્વોપરી છીએ. અન્ય પાર્ટી જવાથી કોઈ સમાજ સેવા થવાની નથી. એટલે કોઈ પાર્ટીમાં હાર્દિક ન જાય તે અમારી સલાહ છે.
હાર્દિકને કારણે આજે પાટીદારો અમારા પર પણ ભરોસો નથી કરતા, કહે છે આંદોલનકારી ગમે ત્યારે પાર્ટીમાં જોડાઈ જશે : લાલજી પટેલ
હાર્દિક કોંગ્રેસમાં જોડાયા તો સમાજને શું મળ્યું? હજુ પણ પ્રશ્નો ઠેરને ઠેર જ છે. કોંગ્રેસમાં જોડાયો ત્યારે દૂખ લાગ્યું હતું સમગ્ર પાટીદાર સમાજને તો કેમ પાર્ટીમાં જોડાઈ રાજકારણ કર્યું. એમના કારણે હવે સમાજના લોકો અમારા તરફ પણ આવી રીતે જુએ છે કે આંદોલન કરી ગમે તે પાર્ટીમાં જોડાઈ જશે. એમાં ખરેખર જે સાચા આંદોલનકારી છે. એમના પર લોકોને ધીરે ધીરે વિશ્વાસ ઊઠતો જાય છે. હાર્દિક જાહેરમાં જે પાર્ટીને ગાળો બોલતો તેમાં જોડાશે તો લોકોનો અને સમાજનો વિરોધ સહન કરવાનો વારો આવશે.અનામત આંદોલનના કન્વીનરો અલગ અલગ પાર્ટીમાં જોડાઈ જાય છે તેનાથી સમાજને ખૂબ જ નુકસાન થયું છે. આ આંદોલનને લીધે જ કડવા અને લેઉવા પટેલ એક થયા હતા અને હાલ સાથે સમાજને આગળ લઈ જવા કામ કરી રહ્યા છે.
પાટીદાર સમાજનું ગૌરવ જળવાય તેવો નિર્ણય હાર્દિક લે: અલ્પેશ કથીરિયા
હાર્દિક પટેલના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાર્દિકે કોંગ્રેસ છોડ્યું તે વાતનું દુઃખ છે. હાર્દિકે કોંગ્રેસમાં જાતિવાદની વાત કરી, પક્ષના પ્રભારી પર સવાલ ઉઠાવ્યા અને પક્ષની નારાજગી પણ વ્યક્ત કરી છે. પક્ષ અને હાર્દિક વચ્ચે સંકલનમાં ખામી સર્જાઈ છે. જેને કારણે રાજીનામા સુધી વાત પહોંચી છે. વધુમાં તેમણે કહ્યું કે, ભવિષ્યમાં હાર્દિક પટેલ પાટીદાર સમાજનું ગૌરવ જળવાઈ તેવો નિર્ણય લે તેવી અમારી સલાહ છે. આગળ તેમણે કહ્યું કે, ગુજરાતમા દરેક રાજકીય પાર્ચટી જ્ઞાતિવાદનું કાર્ડ રમે છે. નરેશ પટેલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી કે, નરેશ પટેલ સમાજનું ગૌરવ છે. અમારી ઊંમર કરતાં વધુ તેમની પાસે અનુભવ છે. જેથી નરેશ ભાઈ પોતાનો નિર્ણય ખુદ લેશે.
હાર્દિકની રાજનીતિ પર બોલ્યા અલ્પેશ કથીરિયા
સાથે હાર્દિકના ભાજપ પ્રવેશને લઈ નિવેદન આપતા કહ્યું કે રાજકીય સંકેત જોતા ભાજપ તરફ ઈશારો લાગે છે. સાથે સૂચન આપતા કહ્યું કે હાર્દિકને હજુ વિચારવાનો સમય છે તેણે નક્કી કરવાનું છે. સરકાર સામે પાટીદારોની વાત સ્પષ્ટ છે. રાજદ્રોહના કેસો પાછા ખેંચાયા, શહીદ પરિવારને નોકરી મળે. ઘણી વખત સમાજની એકતા તોડવા રાજકીય પક્ષો પ્રયાસ કરતા હોય છે. કોંગ્રેસ છોડવાના મુદ્દે કથીરિયાએ કહ્યું કે હાર્દિક કોંગ્રેસમાં ગયો ત્યારે, PASS સાથે ચર્ચા કરી હતી, હાર્દિકે કોંગ્રેસ છોડી ત્યારે PASS સાથે ચર્ચા કરી નથી. પક્ષ-સમાજ વચ્ચે સંકલનનો અભાવ કોંગ્રેસ છોડવાનું કારણ હોય શકે તેવી વાત પણ કરી હતી.
ભાઈ હાર્દિક, બહુ ડંડા ખાધા છે અને આજેય શિયાળામાં બરડા દુઃખે છે, કેમ ભૂલી ગયા છો તમે બધું: ગીતા પટેલ, કોંગ્રેસ નેતા
હાર્દિક ભાઈ એમ કહે છે કે તેમની રેલી નિષ્ફળ કરવાના પ્રયાસ ખૂદ કોંગ્રેસના નેતા કરતાં હતા જેના જવાબમાં કોંગ્રેસ નેતા ગીતા પટેલે કટાક્ષ કરતા કહ્યું કે મારા ધ્યાનમાં આવતું નથી કે તેમણે કોઈ કોંગ્રેસ માટે રેલી કરી હોય.મને તો યાદ નથી. હાર્દિકે આયોજન કર્યું હોય અને કોંગ્રેસે નિષ્ફળ કર્યું હોય તેવુ બન્યું જ નથી ગુજરાતની શાણી જનતા બંધુ જાણે છે. કોંગ્રેસ વિરોધની વાત ખૂબ જ આકરી રીતે સરકાર સમક્ષ મૂકે છે. અમે ગાંધીનગરમાં પાણીના વજ્રઘાત સહન કર્યા છે. હાર્દિક ડબલ ચહેરાની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી છોડી છે એટલે સુફિયાણી વાતો કરી ખરાબ આરોપો કરી કોંગ્રેસ નુકસાન પહોંચડાવાનો કારસો ઘડાયો છે. અમારા માટે કોણ લડે છે. અને કોણ સેટિંગ કરી મુદ્દા સાથે લડ્યાએ મારે ગુજરાતની જનતાને કહેવાની જરૂર નથી. હાર્દિકને સવાલ કરવો છે કે જ્યારે આપણે લોકો આંદોલનમાં હતા ત્યારે મહિલાઓને ચોટલા ખેચીને ઢસડવામાં આવતી હતી. એના પર કેસો કરવામાં આવતા. ભાઈ હાર્દિક, બહુ ડંડા ખાધા છે અને આજેય શિયાળામાં બરડા દુઃખે છે, કેમ ભૂલી ગયા છો તમે બધું.