ગુજરાતમાં વાયુ વાવાઝોડુંનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ મામલે હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું વેરાવળથી 650 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું 13 જૂને વેરાવળના દરિયા કિનારે ત્રાટકશે.120 કિમીના ઝડપે વાવાઝોડું ફુંકાઈ શકે છે. વેરાવળ અને દિવ વચ્ચે 13 જૂને વાવાઝોડું પસાર થશે. તો વાવાઝોડાની સાથે વરસાદ પણ આવી શકે છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું ફંટાવાની શક્યતાઓ નહીંવત છે. ગુજરાતમાં તંત્રએ પણ તેની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.