પૂર્વ ચીફ ઈલેક્શન કમિશ્નર ઓ.પી.રાવતે નોટબંધીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. ઓ.પી.રાવતે કહ્યું કે નોટબંધીના એલાન બાદ એવું લાગ્યું હતુ કે ચૂંટણીમાં ઉપોયગમાં લેવાતા રૂપિયાનો ખોટો ઉપયોગ બંધ થશે. પણ આવું કંઈ થયુ નહીં.
ઓ.પી.રાવતે દાવો કર્યો કે નોટબંધી બાદ થયેલી ચૂંટણીમાં પહેલા કરતા વધુ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. એવું લાગે છે કે રાજનેતાઓ અને તેમના ફાઈનાન્સર પાસે રૂપિયાની કોઈ કમી નથી.
ચૂંટણીમાં આ રીતે ઉપયોગમાં લેવાતા રૂપિયામાં મોટા ભાગનુ કાળુ નાણું જ હોય છે. જ્યાં સુધી ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગની વાત છે તો તેની કોઈ તપાસ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ઓ.પી.રાવત પહેલી ડિસેમ્બરથી પોતાના પદ પરથી રિટાયર્ડ થયા છે અને તેમની જગ્યાએ સુનિલ અરોરા નવા ચીફ ઈલેક્શન કમિશ્નર બન્યા છે.