એક્ઝિટ પોલ પર નેતાઓના નિવેદન; ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સરકાર બનાવશે-પાટીલ, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી-ઇસુદાન ગઢવી
એક્ઝિટ પોલ પર નેતાઓના નિવેદન
ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સરકાર બનાવશે: પાટીલ
એક્ઝિટ પોલના આંકડા સાચા નથી: ઇસુદાન ગઢવી
ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યો છે જેમાં ભાજપનો ભવ્ય વિજય બતાવવામાં આવી રહ્યો છે. જે બાદ કેટલાક નેતાઓનું એક્ઝિટ પોલ પર નિવેદન સામે આવ્યા છે.
સી આર પાટીલેનું નિવેદન
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સરકાર બનાવશે
એક્ઝિટ પોલ બાબતે ઇસુદાન ગઢવીનું નિવેદન
આમ આદમી પાર્ટીના ગુજરાતના સીએમના ઉમેદવાર ઇસુદાન ગઢવી જણાવ્યું કે, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી કારણ કે જેનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ હોય છે. 2013માં પણ જ્યારે AAP દિલ્હીમાં લડી રહી હતી ત્યારે બધા કહેતા હતા કે તે પોતાની ડિપોઝીટ બચાવે તો પણ બહુ મોટી વાત પરંતુ આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી હતી. તેમણે જણાવ્યું કે, હું માની રહ્યો છું કે AAPનું પરિણામ એક્ઝિટ પોલ કરતાં વધુ હશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા શકશે નહીં. તેમણે દાવો કરતા કહ્યું કે, અમે અંદાજો લગાવીએ છીએ કે અમે 100થી વધુ બેઠકો જીતીશું
હર્ષ સંઘવીનું નિવેદન
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, ભાજપ અને ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું છે. છેલ્લા 27 વર્ષથી જળવાયેલા સંબંધ આગામી દિવસોમાં વધુ સારો થવાના છે. આ ચૂંટણી સત્તાની જીત માટે નથી પરંતુ સંબંધોના ઈતિહાસ માટે છે. ગુજરાતમાં કમળ ખીલશે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી
જયરામ ઠાકુરનો એક્ઝિટ પોલ પર નિવેદન
હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર એક્ઝિટ પોલ પર જણાવ્યું કે, શિમલા ગુજરાત એકતરફી ચૂંટણી અને જ્યાં અન્ય પક્ષો ઘણા પાછળ છે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો ઘટશે અને આમ આદમી પાર્ટી કેટલાક વોટ લેશે, પરંતુ તેમ છતાં બંને પાર્ટીઓ ઘણી પાછળ રહેશે, બીજેપીની ઐતિહાસિક જીત થવાની છે
બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું.