રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં ફલાવર શૉ ને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ ફ્લાવર શૉ યોજાશે
રાજ્યમાં વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ફ્લાવર શૉનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે એવામાં વાયબ્રન્ટ સમિટ અને ફ્લાવર શો જેવા મહત્વના આયોજનનો થઈ રહ્યા છે. કોરોનાનો આંકડો 500ને પાર પહોંચ્યી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ સામે આવ્યા છે જેને લઈને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે શહેરમાં અને રાજ્યમાં ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શૉનું આયોજન કરાયું છે. ત્યારે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ ફ્લાવર શૉ યોજાશે તેવી બાંહેધરી આપી છે. તો બીજી તરફ આગામી 10થી 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છતા સ્થિતિ નિયંત્રણમાં છે.
તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે
વાયબ્રન્ટ સમિટ મુદ્દે આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે અને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દેશ બહારથી આવતા મહેમાનો માટે રસીકરણ અને RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. RT-PCR ટેસ્ટ બાદ જ કામ કરતા તમામ કર્મીઓને વાયબ્રન્ટમાં જવાબદારી સોંપાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત અવ્વલ છે ત્યારે તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે જેથી ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છતી વ્યક્તિ સમિટમાં આવી શકે છે.
કોરોના કેસ વધતા ચિંતામાં વધારો
મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસમાં કોરોનાની સ્થિતિ પીક પર જતી હોવાનો અનુભવ થઇ રહ્યો છે. કેસ વધારે છે પણ વેક્સિનેશનને લીધે તીવ્રતા ઓછી છે. ગુજરાતમાં પોઝિટિવ રેટ ખૂબ ઓછો છે. સરકારી કચેરીઓમાં મુલાકાત માટે રસીના બંને ડોઝ ફરજિયાત રહેશે. બે ડોઝ લીધા હશે તે જ વ્યક્તિ સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છતા સ્થિતિ નિયંત્રણમાં છે. વ્યાપક રસીકરણને કારણે કોરોનાની તિવ્રતામાં ઘટ થઇ છે. આ તરફ 31 ડિસેમ્બરે જે કોરોના ગાઈડલાઇન પૂર્ણ થતી હતી તે હવે 7 જાન્યુઆરી સુધી લંબાઈ દેવામાં આવી છે તેવી જાહેરાત પણ આરોગ્ય મંત્રીએ કરી છે.