કોઈ જ કલ્પના ન હતી કે શિંદે સીએમ બનાવી દેવામાં આવશે, આ નિર્ણય પાછળ શિવસેનાના બાગી જુથની માંગ કારણ હોય શકે: શરદ પવાર
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા એકનાથ શિંદે
શરદ પવારનું પ્રથમ નિવેદન
કહ્યું શિંદે CM બનશે એવી કલ્પના ન હતી
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘમાસાણનો અંતે અંત આવ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થઇ ચૂક્યો છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. એકનાથ શિંદે બાદ રાજ્યપાલે તેમને પણ શપથ અપાવ્યા છે. પહેલા ફડણવીસ સરકારમાં સામેલ નહોતા થવા માંગતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ તેમણે નિર્ણય બદલવા રાજી થયા છે.
કૉઈ કલ્પના ન હતી કે શિંદે CM બનશે: શરદ પવાર
એકનાથ શિંદે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી બનતા જ મહારાષ્ટ્રની રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ પ્રેસ સંબોધન દરમિયાન કહ્યું કે કોઈ જ કલ્પના ન હતી કે શિંદે સીએમ બનાવી દેવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે કદાચ આ નિર્ણય પાછળ શિવસેનાના બાગી જુથની માંગ જવાબદાર હોઈ શકે કે એકનાથને સીએમ બનાવાય
નવા મુખ્યમંત્રીને શુભેચ્છા: શરદ પવાર
તો બીજી તરફ શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પાઠવા હતા અને કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના હિતની રક્ષા કરવામા આવશે
વધુમાં એક ટ્વીટ કરતાં સતારકરના મુખ્યમંત્રી બનતા તેઓ ખુશી પણ વ્યકત કરી હતી
NCP ચીફ શરદ પવારે તેમના બીજા ટ્વિટમાં લખ્યું કે સ્વર્ગીય યશવંતરાય ચૌહાણ, બાલા સાહેબ ભોંસલે અને પૃથ્વીરાજ ચૌહાણ બાદ હવે એક વધુ સતારકર મુખ્યમંત્રી પદ સંભાળશે
ઉદ્ધવ કાર્યકરોની ઉપેક્ષા કરી, હિંદુત્વથી ભટકી ગયા- શિંદે
દેવેન્દ્ર ફડવવીસ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું કે અમે જે નિર્ણય લીધો છે તે બાળાસાહેબના હિંદુત્વ અને અમારા ધારાસભ્યોના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે પ્રતિબદ્ધ છે. અમારી સાથે 50 ધારાસભ્યો છે. અમે અમારા મતવિસ્તારની ફરિયાદો અને વિકાસ કાર્યો સાથે ભૂતપૂર્વ સીએમ ઠાકરેની પાસે ગયા અને તેમને સુધારાની જરૂરિયાત અંગે સલાહ આપી કારણ કે અમને અહેસાસ થવા લાગ્યો કે આગામી ચૂંટણી જીતવી અમારા માટે મુશ્કેલ હશે. અમે ભાજપ સાથે કુદરતી ગઠબંધનની માગણી કરી હતી.
'ભાજપે મોટું મન રાખ્યું, વધારે સંખ્યા હોવા છતા મને મુખ્યમંત્રી બનાવ્યો'
ભાજપ પાસે 120 ધારાસભ્યો છે પરંતુ તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ સંભાળ્યું ન હતું. હું પીએમ મોદી, અમિત શાહ અને અન્ય બીજેપી નેતાઓ સાથે તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ ઉદારતા બતાવી અને બાળાસાહેબના સૈનિક (પાર્ટી-વર્કર)ને રાજ્યના સીએમ બનાવ્યા.
'ઉદ્ધવ મળવાનો સમય નથી આપતા'
શિંદેએ આરોપ લગાવ્યો કે, શિવસેના હિન્દુત્વના મુદ્દે ભટકી ગઈ છે, ઉદ્ધવ મળવાનો સમય નથી આપતા. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી ત્યારે વધી જ્યારે મહા વિકાસ અઘાડીને ટેકો આપનારા નાના પક્ષો અને અપક્ષોએ રાજકીય ઉથલપાથલ વચ્ચે એકસાથે જવાનું શરૂ કર્યું. જ્યારે શિવસેના દ્વારા બળવાખોરોને ડરાવવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી હતી, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લાગણી દર્શાવી હતી, પરંતુ મામલો થાળે પડ્યો ન હતો.