મૌલાના સાજીદ રાશિદી નું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર નિશાન સાધીને કહ્યું હતું કે, કેટલાક જોકર ટાઈપના લોકો હિન્દૂ રાષ્ટ્રની વાતો કરે છે. મહત્વનું છે કે મૌલાના સાજીદી તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.
મૌલાના સાજીદ રાશિદીએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર નિશાન સાધ્યું
કેટલાક જોકર પ્રકારના લોકો હિન્દૂ રાષ્ટ્રની કરે છે વાત
મૌલાના સાજીદી વધુ એક વખત ચર્ચામાં
મૌલાના સાજીદ રાશિદી નું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર નિશાન સાધીને કહ્યું હતું કે, કેટલાક જોકર ટાઈપના લોકો હિન્દૂ રાષ્ટ્રની વાતો કરે છે. મહત્વનું છે કે મૌલાના સાજીદી તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.
દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી બાગેશ્વર ધામ ચર્ચામાં છે. આ ધામ એટલા માટે કેમકે અહીં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા અવાર નવાર હિન્દૂ રાષ્ટ્ર બનાવવાને લઈને વાત કહેવામાં આવે છે. અને આ પ્રકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનોના કારણે ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રાશિદીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના નિવેદનો કરી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાને ચર્ચામાં કે ચમકાવવા માટે કોશિશ કરી રહ્યા છે.
મુસ્લિમો યુનિફોર્મ સિવિલ કોડ થી ક્યારેય ડરતા નથી...
ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રાશિદીના સંપૂર્ણ નિવેદનની વાત કરીએ તો તેમણે કહ્યું કે, કેટલાક જોકર ટાઈપના લોકો છે જે પોતાને હાઇલાઇટ કરવા ચમકાવવા માટે હિન્દૂ રાષ્ટ્રની વાતો કરે છે. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ પર વાત કરતા જણાવ્યું કે, મુસ્લિમો યુનિફોર્મ સિવિલ કોડ થી ક્યારેય ડરતા નથી જો સરકારને લાવવું હોય તો સંસદમાં ડ્રાફ્ટ લાવે.આ ઉપરાંત મૌલાના સાજીદ રશીદીએ RSS ને પણ આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, આ લોકો વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમનેઆરોપ લગાવતા ત્યાં સુધી કહી દીધું હતું કે કાશ્મીરમાં જે ઘટના ઘટી રહી છે તે RSS વાળા લોકો કરી રહ્યા છે.