ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં યોજાઇ ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અમદાવાદ સરસપુર મંદીરના મહંત લક્ષ્મણ દાસે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા આત્મહત્યાની ચીમકી આપી છે.
અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા ન યોજતા નારાજગી
અમદાવાદ સરસપુર મંદીરના મહંત લક્ષ્મણદાસની ચીમકી
લક્ષ્મણદાસે સરકારને 48 કલાકનો આપ્યો સમય
લક્ષ્મણ દાસજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર રાજીનામું નહીં આપે તો આત્મહત્યાની કરશે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ધારત જો જનતા કર્ફ્યુ લગાવીને રથયાત્રા યોજી શકી હોત પરંતુ સરકારે કોઇ પ્રયત્ન ન કર્યાં અને ઉદાસીન વર્તન દાખવ્યું છે. આવા અનેક આક્ષેપ લક્ષ્મણ દાસે સરકાર પર કર્યાં છે અને આંદોલન ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
જગન્નાથ મંદિરના મહંતે પણ આપ્યું છે સૂચક નિવેદન
જગન્નાથ મંદિરમાં રથયાત્રા ન નીકળવા મુદ્દે નારાજગી જોવા મળી રહ્યી છે. મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપ્યું છે. દિલીપદાસના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યાં છે. દિલીપદાસજીએ કહ્યું કે અમે જેમના પર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો અને અમને છેલ્લે સુધી અંધારામાં રખાયા. રથયાત્રા ન નીકળતા આસ્થા તૂટી છે.
સરકાર હાઈકોર્ટમાં ગઈ તેથી અમે કોર્ટમાં ગયા નહીં : મહેન્દ્ર ઝા
તો બીજી તરફ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે સરકાર હાઈકોર્ટમાં ગઈ તેથી અમે કોર્ટમાં ગયા નહીં. સરકાર રથયાત્રા ઈચ્છવાના પક્ષમાં હતી. અમને સુપ્રીમકોર્ટમાં જવાનો સમય મળ્યો નહીં. ભરોસો તૂટી શકે અને સંપન્ન પણ થઈ શકે છે.