આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દિલ્હી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની મુદ્દે આકરા પ્રહાક કર્યા હતાં કે,'જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે, જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે.
AAPનું નામ લીધા વગર મંત્રી જીતુ વાઘાણીએ કર્યા આડકતરા પ્રહાર
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.
શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે: વાઘાણી
આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે. આ અગાઉ નીતિન પટેલ પણ ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા પર નિવેદન આપ્યું હતું