ગુજરાત ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આક્ષેપો બાદ જીતુવાઘાણીનું નિવેદન, "ગેરરીતિમાં રાજ્ય સરકાર કંઈ છૂપાવશે નહીં"
ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડનો આક્ષેપ
જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા
'આક્ષેપો પુરવાર થાય પછી સરકાર પગલા લેશે'
ગુજરાત ઉર્જા વિભાગમાં AAPના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતીમાં કૌભાંડો હોવાના આક્ષેપો કર્યા છે. જેને લઇને રાજ્યસરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે જો ભરતી પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ થઇ હશે તો કસૂરવાર સામે પગલા લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યુ કે જેટકો દ્વારા 352 જેટલી જગ્યાની ભરતી થઈ રહી છે. 34 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. મહારાષ્ટ્રની કંપની દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. NSE ITએજન્સી દ્વારા ભરતી પ્રક્રિયા થઈ રહી છે. કંપની રેલવે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપની સાથે કામ કરી ચુકી છે.
પરીક્ષા સેન્ટર પર CCTVથી મોનિટરીંગ
જીતુ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્યુ કે હજુ આગામી 2 દિવસ પરીક્ષા લેવાની છે. નવસારી, મહેસાણા અને વડોદરાના સેન્ટર પર CCTVથી મોનિટરીંગ થઈ રહ્યું છે. તેમજ સુરત અને રાજકોટના સેન્ટર પર CCTVથી મોનિટરીંગ થઈ રહ્યું છે.
કસૂરવાર સામે પગલા લેવાશે
કૌભાંડના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કેટલાક લોકો લાભ લેવાનો પ્રયાસ કરતા હોય છે.આક્ષેપોની તપાસ કરવામાં આવશે. તો સમગ્ર બાબતે સંબંધિત મંત્રાલયને તપાસ કરવા માટે મુખ્યમંત્રીએ કહ્યુ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યુ છે.. આ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવશે તેમાં જો કોઇ કસૂરવાર હશે અને આક્ષેપો પુરવાર થાય પછી સરકાર તેની સામે પગલા લેશે. ગેરરીતી અંગે રાજ્ય સરકાર કંઇજ છૂપાવશે નહી. તો આવી ત્રુટિઓ થતી હોય તે અંગે નાગરિકો સરકારનું ધ્યાન દોરે તેવી પણ અપીલ કરી હતી.
કૌભાંડમાં ભાજપનું કનેક્શન
ગુજરાત ઉર્જાવિભાગમાં ભરતી કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડમાં વચેટિયા તરીકે ભાજપ યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલની ભૂમિકા સામે આવી છે.
યુવરાજસિંહનો આરોપ શું?
- 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ થઈ
- ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ થયો છે
- 352 જુનિયર એન્જિનિયરિંગની ભરતી ચાલી રહી છે
- ઉર્જા વિભાગની ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો છે
- પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના ઉમેદવારોની સંડોવણી વધુ
- UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે