રાજ્યમાં પેપરકાંડની અવારનવાર સામે આવતી ઘટનાઓ વચ્ચે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર સહેજ પણ ઢીલી નીતિ અપનાવવા ન માંગતું હોય તેમ સુરક્ષા તેજ બનાવાઈ છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ઘડીઓ ગણાય રહી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે ન આવે તે માટે સુરક્ષા તેજ બનાવાઈ છે. ત્યારે પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને આવતીકાલે તાલીમ આપવામાં આવશે. વધુમાં ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે હવે ગેરરીતિ કરવા પર 5થી 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે.
ગેરરીતિ કરવા પર 5થી 10 વર્ષની સજાની જોગવાઈ
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં સજા અપાવીશું. તથા ડમી ઉમેદવારોના સંદર્ભે હજૂ કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી. રજૂઆત મળશે તો સખત કાર્યવાહી કરવામા આવશે. વધુમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અંગુઠાનું નિશાન લેવામા આવે છે. એટલું જ નહીં અક્ષરની પણ તપાસ કરવામાં આવી શકે છે. અન્ય કોઈ સંવર્ગમા નોકરી મેળવી હશે તો તપાસ થશે અને તપાસમાં આરોપો સાબિત થશે તો સખત સજા પણ થશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈનચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલએ વધુમાં કહ્યું હતું કે 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ થઈ ગઈ છે. મુખ્ય સચિવ દ્વારા વીડીઓ કોંફરન્સ કરવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2023
પસંદગી સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯, ના રોજ રાજયમાં ૩,૦૦૦ થી વધુ કેન્દ્રો પર ૯,૫૩,૦૦૦ જેટલા ઉમેદવારો માટે જુનિયર કલાર્કની ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષામાં કોઇપણ ગેરરીતિને અત્યંત ગંભીર ઘણી તેમાં ૦૩ વર્ષ થી ૧૦ વર્ષ સુધીની સજાના તથા રૂા.૧ લાખ જેટલા દંડની પણ જોગવાઇ કરવામાં આવેલ છે. વધુમાં ઉમેદવારોને કોઇપણ જગ્યાએ ગેરરીતિ થતી હોવાની માહિતી હોય તો પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નં.૮૭૫૮૮૦૪૨૧ર તથા ૮૭૫૮૮૦૪૨૧૭ પર અથવા જિલ્લા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
સજાની જોગવાઇ,
ગેરરીતી આચરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનો દંડ
પરીક્ષાલક્ષી કામગીરી માટે નીમાયેલ વ્યકિતને ફરજમાં અવરોધ કરવો અથવા પ્રવેશ કરતાં રોકવી કે ધાકધમકી આપે તો ૦૩ વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો રૂા.૧ લાખના દંડની જોગવાઇ.
કાવતરૂ કરી ગેરરીતિ આચરવાનો પ્રયત્ન કરનાર વ્યકિતને ૭૫ વર્ષ થી ઓછી નહીં અને વધુમાં વધુ ૧૦ વર્ષની કેદ અને રૂા.૧૦ લાખથી રૂા.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ.
કાવતરૂ કરીને આ કાયદાની જોગવાઇનું ઉલ્લંઘન કરવું અથવા ઉલ્લંઘન કરવામાં મદદ કરનાર કરનાર વ્યકિતને ૦૫ વર્ષ થી ઓછી નહીં અને વધુમાં વધુ ૧૦ વર્ષની કેદ અને રૂા.૧૦ લાખથી ૧ કરોડ સુધીના દંડની જોગવાઇ. સંગઠિત ગુના માટે ૦૭ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછા રૂા.૧ કરોડના દંડની જોગવાઇ.
ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદત માટે બાકાત રાખવામાં આવશે.
દોષિત ઠર્યાના કિસ્સામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩માં ઠરાવેલી કાર્યરીતી અનુસરીને, તેવી વ્યક્તિની જંગમ અથવા સ્થાવર અથવા તે બન્ને અસ્કયામત મિલ્કત પૈકીની કોઇપણની જપ્તી કરીને અને તેનુ વેચાણ કરીને, તેવી વ્યક્તિએ ખોટી રીતે મેળવેલ કોઇ લાભની વસૂલાતનો હુકમ કોર્ટ કરી શકે તેની જોગવાઇ આ અધિનિયમમાં છે.
આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઇન્સ્પેકટરના દરજ્જાના અધિકારી દ્વારા કરવામાં આવશે.