પેગાસસ જાસૂસી કાંડ વિશે રાજકીય નિવેદન આપતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે જે વલખા મારી રહી છે. તે મુરાદ તેની પૂરી થવાની નથી
પેગાસસ જાસૂસી કાંડ મામલો
CM વિજય રૂપાણીએ પેગસસ જાસૂસી કાંડ વિશે આપ્યું નિવેદન
રાષ્ટ્રહિતના ભોગે કોંગ્રેસ સત્તામાં આવવાના પ્રયત્ન કરે છે
પેગાસસ સોફ્ટવેર જાસૂસી કાંડ વિશે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજકીય નિવેદન આપતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે જે વલખા મારી રહી છે. તે મુરાદ તેની પૂરી થવાની નથી. લાંબો સમય કોંગ્રેસે સત્તા ભોગવી છે. હવે જેમ માછલી પાણી વગર તરફડે તેમ કોંગ્રેસની હાલત છે. અને ફરી સત્તામાં આવવા માટે રાષ્ટ્રહિતના ભોગે ભારતની છબીને નુકસાન પહોંચાડી સત્તા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે.
મહત્વનું છે કે, પેગાસસ જાસૂસી કાંડમાં ભારતના અનેક પત્રકારો અને નેતાઓ સહિત ન્યાયપાલિકા સંલગ્ન લોકોના ફોન ટેપ મામલે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી દળ દ્વારા હોબાળો કરાયો હતો. આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માગણી કરાઈ હતી. જેને લઈ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના આક્ષેપો પર જવાબ આપ્યો છે.