પંજાબ સરકારમાં ભ્રષ્ટાચારના આરોપસર મંત્રીને હટાવાયા, ગુજરાત ભાજપના નેતાઑએ કર્યો વાર, કહ્યું AAPની સરકાર ભ્રષ્ટાચારમાં મોખરે
પંજાબ AAPના મંત્રી લાંચમાં પકડાતા ગુજરાતમાં પડઘા
ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો વાર
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપસર મંગળવારે કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પંજાબ સરકારની આ કાર્યવાહીના થોડા સમય બાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ પણ સિંગલા સામે કાર્યવાહી કરી હતી અને મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશો પર કેસ નોંધીને એસીબીએ વિજય સિંગલાની ધરપકડ કરી હતી.સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસ આપની સરકારને ઘેરી રહી છે.
AAPની સરકારમાં ભ્રષ્ટાચારનો રેટ 100 ટકા છે- પ્રદીપસિંહ વાઘેલા
AAPના મંત્રીના આ લાંચ કેસનો મામલે ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મુદ્દાને ઉછાળતા કહ્યું કે બે રાજ્યોમાં AAPની સરકાર છે. બંને રાજ્યોમાં સ્વાસ્થ્ય મંત્રી ભ્રષ્ટાચારી નીકળ્યા, AAPની સરકારમાં ભ્રષ્ટાચારનો રેટ 100 ટકા છે.
2 प्रदेश, 2 स्वास्थ्य मंत्री, दोनों भ्रष्टाचारी
यानी 100% करप्शन रेट
AAP की पंजाब सरकार के स्वास्थ्य मंत्री भ्रष्टाचारी निकले और दिल्ली के स्वास्थ्य मंत्री पर भी भ्रष्टाचार के आरोप हैं !!
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) May 24, 2022
પંજાબ સરકારના મંત્રી બે મહિનામાં ક્લિન બોલ્ડ: ભરત ડાંગર
મંત્રી વિજય સિંગલા પર ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે પણ ટ્વીટ કરી તંજ કસ્યો છે. અને કહ્યું હતું કે મહાઠગ પંજાબ સરકારના મંત્રી બે મહિનામાં ક્લિન બોલ્ડ, આપમાં બધા જ ઠગ છે, કેટલાનો સસ્પેન્ડ કરશો, મંત્રી બનતા પહેલા શું તપાસ કરાવી હતી
એક ટકા કમિશન માંગવાનો આરોપ
વિજય સિંગલા સામે સત્તાધીશો પાસેથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માગણી કરી ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદો ઊઠી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સંડોવણીના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ સીએમ ભગવંત માનએ તેમને પોતાના મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
મારી આંખમાં આસું આવી ગયા: કેજરીવાલ
કેજરીવાલે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષને સમજાતું નથી કે શું કરવું, તો તેઓ કહી રહ્યા છે કે સરકાર બનાવ્યાના બે મહિના બાદ જ તેમણે ભ્રષ્ટાચાર શરૂ કર્યો હતો. પરંતુ આ પહેલી સરકાર છે જે પોતાના લોકો સામે કાર્યવાહી કરી રહી છે. અમે દગો નહીં કરીએ કે ન તો કોઈને કરવા દઈશું. આપણે જે કર્યું છે તે કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. અને તે હિંમત આપણને ભગવાન તરફથી મળે છે. કેજરીવાલે એવું પણ કહ્યું કે ભગવંત માને જે પ્રકારની કાર્યવાહી કરી તે જોઈને હું ભાવુક થઈ ગયો હતો અને મારી આંખમાં પાણી આવું ગયું હતું. આજે સમગ્ર દેશને આમ આદમી પાર્ટી પર ગૌરવ છે.