ઈન્દ્રનીલ રાજ્યગુરુના આમ આદમી પાર્ટી છોડવાના મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું "ઈન્દ્રનીલ રાજ્યગુરુને સીએમ પદનો ચહેરો બનવુ હતુ"
AAP પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું નિવેદન
ઈન્દ્રનીલ રાજ્યગુરુને સીએમ પદનો ચહેરો બનવુ હતુ: ઈટાલિયા
"ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાનુ્ નામ જાહેર કરવા દબાણ કરતા હતા"
આમ આદમી પાર્ટીને ચૂંટણી અગાઉ મોટો ઝટકો લાગ્યો છે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ AAPનો સાથ છોડી ફરી કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આપ પર ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ભગાવ્યા છે. ઈટાલિયાએ જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુને સીએમ પદનો ચહેરો બનવુ હતુ.
આજે ગુજરાતની જનતાએ જ્યારે માનનીય નેતા શ્રી ઈસુદાન ગઢવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી છોડનાર પુર્વ હોદ્દેદાર અંગે પ્રતિક્રિયા.. pic.twitter.com/pXRdsobsd6
ઈન્દ્રનીલ રાજ્યગુરુ મુદ્દે ગોપાલ ઈટાલિયાનું નિવેદન
ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડવા બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુને મુખ્યમંત્રી પદનો ચહેરો બનવુ હતુ તે માટે તેમણે પાર્ટી છોડી છે. ઈટાલિયાએ જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાનુ્ નામ મુખ્યમંત્રી પદ માટે જાહેર કરવા પાર્ટી પર દબાણ કરતા હતા
ઇન્દ્રનીલ રાજ્યગુરુના અકારા પ્રહાર
ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીનો અપ્રિલમાં જ ખેસ ધારણ કર્યો હતો જ્યારે તેઓ નવેમ્બરમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં છે. તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા તેમણે જણાવ્યું કે, જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.
જગદીશ ઠાકોરનું નિવેદન
ઇન્દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસમાં જોડાતા જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે પૂરી તાકાત સાથે કોંગ્રેસની લડત આગળ વધારીશુ તેમજ ઈન્દ્રનિલ રાજ્યગુરૂનું હું કોંગ્રેસમાં સ્વાગત કરી રહ્યો છુ તેમણે જણાવ્યું કે, અમારી વિચારધારા સાથે પહેલેથી ઈન્દ્રનિલ જોડાયેલા જ હતા.
AAPમાં ડખા શરૂ
સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયો છે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીની સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તે પછી આમ આદમી પાર્ટીના નેતા રાજભા ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં કાર્યકરો ને સાંભળવામાં નથી આવતા. તેમણે જણાવ્યું કે, કેજરીવાલ કોઈ ને મળતા નથી, કોઈને જવાબ નથી આપતા તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ AAP થઈ રહ્યો હતો તેમજ નવા નેતા આવે એટલે જુના નેતાને સાઈડલાઈન કરાય છે.