વિધાનસભાની ચૂંટણીને લઇ આક્ષેપ કરાઇ રહ્યાં છે :દિનુ પટેલ
શું ભાજપ શાસિત બરોડા ડેરીમાં બધુ વ્યવસ્થિત ચાલુ રહ્યું છે. જવાબ ના પણ હોય શકે છે કારણ કે સાવલી ભાજપના MLA કેતન ઇનામદારે બરોડા ડેરમાં ચાલતા વહીવટને લઈ મોટા આરોપ કરી રહ્યા છે. ગઈ કાલે MLA ઇનામદારનો સહકાર મંત્રી ઇશ્વર પટેલને સ્ફોટક પત્ર લખી બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભાંડો ખુદ ભાજપના સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદારે ફોડ્યો હતો જે બાદ આજે બરોડા ડેરીના ચેરમેન દિનુ પટેલે ઈનામદાર પર ગંભીર આરોપ કરતાં કહ્યું છે કે કુલદીપસિંહ રાઉલજી અને ઇનામદાર વચ્ચે વિવાદ છે, 60 કરોડની રકમ પશુપાલકોને ભાવફેર કરીને અપાય છે અને જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે અમે તૈયાર છીએ.
MLA ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવુ નથી : દિનુ પટેલ, બરોડા ડેરી ચેરમેન
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો પર ડેરીના ચેરમેન દિનુ પટેલ કાળઝાળ થયા છે, MLA કેતન ઈનામદારે લગાવેલા તમામ આરોપોને ફગાવતા કહ્યું કે MLA ઇનામદારને મારી ચેલેન્જ છે બરોડા ડેરીમાં ગુજરાતની SIT, ED અને CBIની તપાસ કરાવી લો, દૂધ ઉત્પાદકોને પગાર 7, 17 અને 27 તારીખે થાય છે ત્યારે 60 કરોડની રકમ પશુપાલકોને ભાવફેર કરીને અપાય છે. વધુમાં જવાબ આપતા કહ્યું કે 1 રૂપિયાની લોન વિના ડેરી ચલાવી છે, MLA મારા સાહેબ કે અધિકારી નથી કે MLA ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવુ નથી પણ જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે આ સિવાય બરોડા ડેરીના ચેરમેનના દિનુ પટેલના પણ ઈનામદાર પર ગંભીર આક્ષેપ કરવાં આવ્યા છે અને બળાપો ઠાલવતાં કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીને લઇ આક્ષેપ કરાઇ રહ્યાં છે, સાવલીના ડિરેક્ટર કુલદીપસિંહ ચૂંટણી લડવા ઇચ્છે છે ત્યારે કુલદીપસિંહ રાઉલજી અને ઇનામદાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જે કારણે વિધાનસભા ચૂંટણી લડવાને લઇ આ વિવાદ ઉભો થયો છે જો MLAને જાણવુ હોય તો અમારી પાસે આવ્યા હોત અમે તેમણે બધી જ માહિતી આપત, મહત્વનું છે કે 20 દિવસ પહેલા વાઘોડિયાના MLAએ આક્ષેપ કર્યા હતા તે પણ મનગણત હતા.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અને સભાસદોનું શોષણ : ભાજપ MLA કેતન ઇનામદાર
સાવલી ભાજપના MLA કેતન ઇનામદાર ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે બરોડા ડેરીમાં ચાલતા અણધડ વહીવટની સરકારને જાણ કરી છે. મહત્વનું છે કે બરોડા ડેરી ભાજપ શાસિત લોકો ચલાવી રહ્યા છે ત્યારે ભાજપના MLA કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમજ સભાસદોના શોષણનો મોટો આરોપ કરી રહ્યા છે. ઈનામદારનું કહેવું છે કે દાણના કાચા માલની ખરીદી મળતિયા એન્જસીઓ દ્વારા કરવામાં આવી રહી છે, કાચા માલમાં ભેળસેળ, તેમજ દૂધ ઉત્પાદકોની રકમ પર જમાખોરી કરવાનો આરોપ કર્યો છે, મહત્વનું છે કે અગાઉ મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના શાસકો પર આક્ષેપ કર્યા હતા. જે બાદ કેતન ઈમાનદારે કરેલા આરોપ દર્શાવી રહ્યા છે કે બરોડા ડેરીમાં ગોલમાલ હૈ ભાઈ..સબ ગોલમાલ હૈ
બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીનું નિવેદન
ડિરેક્ટર-ભાજપ નેતા કુલદીપસિંહનો ઇનામદાર પર આક્ષેપ
કેતન ઇનામદાર ડેરી પર ખોટા આરોપ લગાવી રહ્યાં છે
સાવલીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી હું લડીશ
ઇનામદાર મને દબાવવા ડેરીનો મુદ્દો ઉછાળે છે
અમારી લડાઈમાં કેતન ઇનામદાર ડેરીને વચ્ચે લાવે છે
ઇનામદાર ઈચ્છે છે કે સાવલીમાં કોઈ ઉમેદવાર જ ના હોય
નીતિન પટેલ આપી પ્રતિક્રિયા
ગઈકાલે આ મામલે ડે.સીએમને સવાલ પૂછતાં નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યની ડેરીઓમાં ઓડિટ થાય છે. ડેરીઓના સંચાલનની વ્યવસ્થા માટે દેશમાં સૌથી મોટું અને સુવ્યવસ્થિત સહકાર ક્ષેત્ર ગુજરાતમાં છે. આવામાં જો કોઈને એવું લાગતુ હોય છે કે ગેરરીતિ થઈ રહી છે તો તેઓ તપાસ કરાવી શકે છે. હવે તો સહકાર વિભાગ પણ છે અને જો સહકાર ક્ષેત્રમાં કોઈ ખોટું થતું હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.