ખેડૂતો મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક પત્રકાર પરિષદમાં જાહેરાત માટે CM, DyCM, કૃષિ મંત્રીનો આભાર માનીને ખેડૂતોની વ્યથાને સમજીને મહત્વનો નિર્ણય કર્યો હોવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે રાજસ્થાનથી ગુજરાત આવેલા ધારાસભ્યોને લઇને મોટું નિવેદન આપ્યું હતું.
રાજસ્થાનના ધારાસભ્યો ગુજરાત પ્રવાસને લઇને પ્રદેશ અધ્યક્ષનું નિવેદન
રાજસ્થાનમાંથી કોઈ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યાં નથી
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાંથી કોઈ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યાં નથી અને કોઈ રિસોર્ટમાં રોકાયા નથી, જો કોઈ આવ્યા પણ હશે તો તેમના કામથી આવ્યાં હશે. પોલિટિકલ સ્ટ્રેટેજી જાહેર અમે કરી શકીએ નહીં.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 10, 2020
પેટા ચૂંટણી મુદ્દે પ્રદેશ અધ્યક્ષનું નિવેદન
રાજ્યના 8 બેઠકો પર પેટા ચૂંટણી મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઇ પણ સમયે ચૂંટણી આવે અમે પેટા ચૂંટણી માટે તૈયાર છીએ. નોંધનીય છે કે, અબડાસા, લીંબડી,કરજણ,ડાંગ,કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે.
પેટા ચૂંટણી લંબાઇ તેવી શક્યતા
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ 8 બેઠકોની પેટા ચુંટણી જે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી હતી તે તારીખ રદ થઈને વધુ લંબાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ માટેનું મુખ્ય કારણ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસીસ ગણવામાં આવે છે. સૂત્રો અનુસાર કોરોના મહામારીના સમયમાં તંત્ર ચુંટણી યોજવા અસમર્થ છે.