ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલી ભાજપની કારોબારી બેઠક પૂર્ણ, કોરોનામાં કામગીરી અંગે અભિનંદન ઠરાવ પસાર, સી.આર પાટીલે AAP પાર્ટી વિશે કહ્યું, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ ફાવ્યો નથી
ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલી ભાજપની કારોબારી બેઠક પૂર્ણ
ભાજપ પ્રદેશ કારોબારીમાં ઠરાવ પસાર કરાયા
કોરોનામાં કામગીરી અંગે અભિનંદન ઠરાવ પસાર કરાયો
ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલી ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં ભાજપ પ્રદેશ કારોબારીમાં ઠરાવ પસાર કરાયા છે. તો સાથે કોરોનામાં કામગીરી અંગે ડોક્ટર, મેડિકલ સ્ટાફ સહિત તમામ સહાયકોને અભિનંદન ઠરાવ પસાર કરાયો હતો. આ સાથે સી.આર પાટીલે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. જેમાં કહ્યું કે, કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી. સાથે કહ્યું કે, ત્રીજી લહેરને લઈને પણ સમગ્ર તૈયારીઓ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં રજૂ કરી હતી.
2022ની વિધાનસભા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા
આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠક પર ચૂંટણી લડવા અંગે જવાબ આપ્યો કે, ગુજરાતમાં ભાજપ પાસે 1 કરોડ 14 લાખ નોંધાયેલા સભ્યો છે. 58 લાખ જેટલા સભ્યો પેજ કમિટીના સભ્યો છે. આમ છતાં અમે AAPની કામગીરી જોઈ રહ્યા છીએ.
આજે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઈ હતી. જોકે દર વર્ષે યોજાનાર કારોબારી ખૂબ લાંબા સમય બાદ એટલે કે કોરોના મહમારીને કારણે બે વર્ષ બાદ મળી હતી. ત્યારે આજે યોજયેલી કારોબારીમાં કેટલાક ઠરાવ કરવામાં કર્યા અને આજે યોજાયેલી કારોબારી બેઠક ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી મળી હતી.
ભાજપની ખૂબ લાંબા ગાળા એટલે કે દર વર્ષે યોજાનારી કારોબારી બે વર્ષ બાદ મળી હતી. પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મંત્રી મંડળના અને ભાજપનાં સંગઠન હોદેદારો હાજરીમાં કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જો કે ખૂબ લાંબા ગાળે મળનારી પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક 13મા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષે પ્રવચન આપ્યું હતું. જેમાં કોરોના મહમારી કારણે વર્ચ્યુઅલી રાજ્યના તમામ જિલ્લાના મહંમત્રી અને પ્રમુખો જોડાયા હતા.