25-25 દિવસથી હાર્દિકનું નામ ભાજપ સાથે જોડાયેલુ રહ્યુ પણ એક વખત તેમણે ન કહ્યું કે ભાજપ તો નહીં: મેવાણી
જિગ્નેશ મેવાણીના હાર્દિક પટેલ પર પ્રહાર
વિચારધારા લોહીના ટીપા બરાબર હોયઃમેવાણી
હાઇકમાન્ડે મારી સાથે ગુજરાતની ચર્ચા કરી છે:મેવાણી
હાર્દિક પટેલ ગયો તો ખરો. પરંતુ જતા જતા બિચારા કોંગ્રેસના નેતાઓની પોલ ખોલતો ગયો. અને તેમાં પણ ગુજરાતના નેતાઓ દિલ્લીના નેતાઓને ચિકન સેન્ડવિચ ખવડાવવાની જ ચિંતા કરતા હોય તેવું કહ્યું. પાટીદાર અનામત આંદોલન સમિતિની GMDC ગ્રાઉન્ડની ભવ્ય રેલી બાદ ચર્ચામાં આવેલ હાર્દિક પટેલે 3 વખત પોતાન નિવેદનો પરથી પલટી મારી છે.એક સમયે PAASનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ જ હાર્દિકે કહ્યું હતું કે, મરતા મરી જઈશ પણ કદી રાજકારણમાં નહીં જાઉં કારણ કે હું રાજનેતા નથી.પરંતુ આ કથન બાદ એક જાહેર રેલીના માધ્યમથી રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસ પ્રવેશ કર્યો.બાદમાં કોંગ્રેસ પ્રવેશના ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થઈ ગયો છે.
ભાજપ શક્ય જ નથી તેવુ નથી બોલતા, વિચારધારા લોહીના ટીપા બરાબર: જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા
હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદના રાજકારણ સહિતના અનેક આક્ષેપો કરીને કોંગ્રેસને રામ રામ કહી દીધુ છે. ત્યારે કોંગ્રેસ પર લગાવેલા ગંભીર આરોપોનો વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ મોરચો સંભાળ્યો છે. મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે હાર્દિક પટેલ સંઘર્ષના સાથી હતા. દેશના યુવાનો આશાની નજરથી જોતો હતો. વિચારધારા લોહીના ટીપા બરાબર હોય છે. હાર્દિક 3 વર્ષ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પણ અચાનક જ એવું તો શું થયું કે નારાજ થઈ ગયા. 25-25 દિવસથી હાર્દિકનુ નામ ભાજપ સાથે જોડાયેલુ રહ્યુ. પણ ભાજપ શક્ય નથી તેવુ હાર્દિકે ક્યારેય ન કહ્યુ.
હાર્દિકે ભાજપ પ્રત્યે પ્રીતિ બતાવીને આઈડીયોલોજી બદલી: જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા
મેવાણી ચિકન સેન્ડવિચ મુદ્દે કહ્યું કે આ પ્રકારની ટિકા ટિપ્પણી કરવી તે શોભનિય નથી. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વએ મારી સાથે ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરી છે. હાર્દિક કહે છે કે કોંગ્રસનુ નેતૃત્વ ગુજરાતના પ્રશ્નોની વાત નથી કરતુ. હાર્દિકને જોત જોતાંમાં અદાણી-અંબાણી માટે કેમ પ્રેમ થયો તે સમજાતું નથી. ભાજપ પ્રત્યે પ્રીતિ બતાવીને આઈડીયોલોજી બદલી રહ્યા છે. ભાજપ અન્ય સમાજ પર થયેલા કેસ કેમ પરત લેતા નથી ? દલિતો અને પદ્માવતી ફિલ્મમાં થયેલા કેસ કેમ ભાજપ સરકાર પરત લેતી નથી ?
મારી સાથે થયુ તેવુ જીગ્નેશ મેવાણી સાથે ન થાય આગળ તેવી આશા: હાર્દિક પટેલ
હાર્દિકે વીટીવી ગુજરાતીને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે મારી નારાજગી ઘણા સમયથી હતી તો શું દાહોદમાં રાહુલ ગાંધી મને 5 મિનિટ ન ફાળવી શકે ? હેલિકોપ્ટર મને પક્ષે આપ્યુ હતુ મે નહતુ માંગ્યું અને કોંગ્રેસમાં મે કોઈ કાર્યકારી અધ્યક્ષનુ પદ પણ નહતુ માંગ્યું. કેટલા નેતાઓ કોંગ્રેસ છોડશે તે સમય આવશે ખબર પડશે. કોંગ્રેસ તાકાત વાળા નેતાઓને સાચવવા નથી માંગતી, મારી સાથે થયુ તેવુ જીગ્નેશ મેવાણી સાથે ન થાય આગળ અલ્પેશ ઠાકોરને પણ હેરાન કરવામાં આવ્યા હતા.કામ જનતાનુ કરો આજુબાજુ રહેતા લોકોનુ નહી.2020 રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોને રાજીનામા આપવાના હતા. 1 નંબર અને 2 નંબર મુદ્દે 5 ધારાસભ્યોએ રાજીનામા આપવાના હતા. લોકતંત્રણ કોઈપણ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. સત્તાપક્ષ કરતા પણ વિરોધપક્ષ સૌથી વધુ ખોટુ બોલે છે. રાહુલ ગાંધી અદાણી, અંબાણીને કેમ ગાળો આપે છે?