હાર્દિક પટેલે કરેલા વિવાદિત નિવેદન બાદ પ્રદેશ નેતૃત્વમાં નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ પર કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા આપી છે.
હાર્દિકના નિવેદનથી પ્રદેશ નેતૃત્વ નારાજ
રધુ શર્માનું હાર્દિક મામલે નિવેદન
નારાજગી હોય તો સમાધાન આપીશું
હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં ઘમાસાણ જામ્યુ છે.
હાર્દિક પટેલના વિવાદિત નિવેદન બાદ પ્રદેશ નેતૃત્વમાં નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ પર કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા આપી છે.શું હાર્દિક પટેલ નિવેદન આપ્યું તેની પહેલા નરેશ પટેલ સાથે વાત કરી? શું નરેશ પટેલે પોતાની કોઇ પ્રતિક્રિયા આપી? કોઇ પણ નિવદેન પહેલા નેતાઓએ વિચાર કરવો જોઇએ.
હાર્દિકના નિવેદનથી પ્રદેશ નેતૃત્વ નારાજ
હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું
ગત રોજ નરેશ પટેલ મુદ્દે હાર્દિક પટેલનું સૂચક નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા.તથા તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે, નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આટલો વિલંબ થતાં નરેશ પટેલની છબીને નુક્સાન થાય છે. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટુ નથી તેમ જણાવ્યુ હતુ.