આજે વીજળીની શુ સ્થિતિ છે તે બધા જાણે છે વીજળીની સ્થિતિ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
વીજળીની સ્થિતિ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન
લોકોને વીજળી બચાવવાની આપી સલાહ
લોકો વીજળી બચાવે તે જરૂરી: ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં વીજ કાપ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાજ્યમાં વીજ પૂરવઠાને લઈને અનેક સવાલો પ્રજાના મનમાં સતાવી રહ્યા છે તેવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકોને વીજળી બચાવવાની સલાહ આપી છે. લોકો વીજળી બચાવે છે જરૂરી છે તેમ કહેત મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે વીજળીની શુ સ્થિતિ છે તે બધા જાણે છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મોટી મુશ્કેલી પડતી હોય તો અમારા સુધી પહોંચાડજો. જે બાદ મુખ્યમંત્રીએ લોકોની વીજળી બચાવવાની અપીલ કરી હતી.
વીજળીની સ્થિતિ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન
મબત્વનું છે કે રાજ્યમાં વીજ કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઉત્તર ગુજરાતમાં સિંચાઇ માટેના વીજ પુરવઠામાં પણ વીજકાપ મુકી દેવાયો છે. UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતાહોવાના આક્ષેપો લાગી રહ્યા છે અડધી રાત્રે વીજ કાપ થતા ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યાં છે, લોડ સેન્ટિગ તેમજ અવનવા બહાના હેઠળ અધિકારીઑ વીજકાપ કરી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને ઉપરથી પુરતો પુરવઠો ન આવતો હોવાનો દાવા થતા હવે ખરેખર વીજ સંકટના એધાણ વર્તાઈ રહ્યા છે.
લોકોને વીજળી બચાવવાની આપી સલાહ
કોલસાની અછત પછી સ્થિતિ વણસી છતાં સબ સલામતના દાવાથી તંત્રની નીતિ ઉઘાડી પડી છે. સૌરાષ્ટ્ર્રમાં વીજકાપને લઇને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનપા અને નગરપાલિકામાં દૈનિક કેટલાક કલાક વીજકાપ તો સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરવાં આવતા ખેડૂતો અકળાયા છે. PGVCL અને PGVCL અધિકારીઓ દ્વારા ઉદ્યોગોમાં કોઇ વીજકાપ કરવામાં આવતો નથી જ્યારે સિંચાઇમાં લોડ સેટિંગના નામે ખેડૂતો માટે વીજકાપ લદાય છે. જેથી ખેડૂતો પુરતો 8 કલાક વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ઉંઝામાં પણ 8 ક્લાકને બદલે 5 ક્લાક જેટલો વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.