ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, સરકારના લીધેલા નિર્ણયના કારણે દેશ સુરક્ષિત છે, નવા સંસદ ભવન મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પત્રકાર પરિષદ
કોરોના કારણે દેશભરમા હાહકાર છે
અન્ય દેશોની તુલનમા ભારતમાં મૃત્યુ દર ઓછો છે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં સી.આર પાટીલે કહ્યું કે, કોરોનાના કારણે દેશભરમાં હાહકાર છે. અન્ય દેશોની તુલનમાં ભારતમાં મૃત્યુદર ઓછો છે. સરકારના લીધેલા પગલાઓને કારણે દેશ સુરક્ષિત છે. બીજી લહેરમાં પરિસ્થિતિ કંટ્રોલમાં લાવી શક્યા છીએ. ભાજપ શાસિત રાજ્યોમાં લોકોને ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હજુ ફ્રી વેક્સિનની જાહેરાત કરી નથી. તો દિલ્હીમાં બનતા સેન્ટ્રલ વિસ્ટા પર કહ્યું કે, નવા સંસદ ભવનની માંગ કોંગ્રેસમા ઉભી થઇ હતી. સંસદભવનનો વિરોધ જ્યારે કોંગ્રેસ છત્તીસગઢમાં નવું વિધાનસભા ભવન બનાવી રહ્યું છે.
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિને લઈ અનેક મહત્વના નિર્ણયો કરાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતના તમામ ધારાસભ્યોને તેમને મળતી સંપૂર્ણ ગ્રાન્ટનો ઉપયોગ કોરોનાની સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોનાની સારવાર પાછળ આપી દીધી છે. અન્ય ધારાસભ્યો પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ કામ કરી શકે છે.
કેબિનેટમાં તબીબી ટિચર્સ એસો.ની માગને લઈ ચર્ચા
તો કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો ડૉક્ટર હડતાળનો ઉઠ્યો હતો. રાજ્યભરમાં તબીબી અધ્યાપકો દ્વારા વિરોધ કરાયો હતો. મેડિકલ ટીચર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પડતર માંગણીઓને લઇ અનેક રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેના કારમએ મુખ્યમંત્રીએ અગ્રસચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. અને તબીબી અધ્યાપકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પ્રદીપસિંહે કહ્યું કે, મુખ્યમંત્રીને પ્રશ્નો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, તબીબો આંદોલન ન કરે
તબીબો કોરોના વોરિયસ કામગીરી કરી રહ્યા છે. અને એસો.ના પ્રશ્નોના સંબંધિત વિભાગે હકારાત્મક અભિગમ આપ્યો છે. તમામ ડોકટરને વિનંતી કે સરકાર હકારાત્મક છે. જેથી તબીબોએ આંદોલનના હથિયારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને કોવિડમાં પોતાની સેવા ચાલુ રાખે. સોમવારે નિર્ણય કરવા અંગે વાત થઇ હતી. પરંતુ જરૂરી વિગતો એકત્ર કરવામાં વિલંબ થયો છે. ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તો સાથે પ્રદીપસિંહે કહ્યું કે, નર્સિંગ સ્ટાફની માગણીઓ પર વિચારણા ચાલી રહી છે. નર્સિંગ સ્ટાફની રજૂઆત મુદ્દે રિપોર્ટ સબમિટ કરાશે.