રિટાયર્ડ નેવલ ઓફિસરે કહ્યું હતું કે જ્યારે તેમણે મને વાતચીત કરવા માટે બોલાવ્યો હતો તો વાતચીતની જગ્યાએ સીધી મારપીટ શરૂ કરી દીધી હતી. તેઓ કહી રહ્યા હતા કે આ તો RSS અને ભાજપનો ચમચો છે.
પૂર્વ નેવી ઓફિસર મદન શર્માએ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી
તેમણે કહ્યું. શિવસેનાએ મને ભાજપનો ચમચો કહીને માર્યો તેથી હવે તેમાં જ સામેલ થઈ ગયો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ, અને લોકોને નક્કી કરવા દેવું જોઈએ : પૂર્વ નૌસેના અધિકારી
સેવાનિવૃત્ત નેવી અધિકારી મદન શર્મા એ મંગળવારે 15 સપ્ટેમ્બર 2020ના રોજ ભાજપને જોઇન કરી લીધું. મદન શર્મા તે જ પૂર્વ નેવલ ઓફિસર છે જેની શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપ સમર્થક કહીને મારપીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે મને વાતચીત કરવા માટે બોલાવ્યો હતો ત્યારે વાતચીત કરવાની જગ્યાએ સીધી મારઝૂડ શરુ કરી દીધી હતી. તેઓ મને ભાજપ અને RSS નો શામ્ચો કહી રહ્યા હતા. તેથી આજે હું જાહેર કરું છું કે હવે હું ભાજપ અને RSS સાથે જોડાઈ ગયો છું કેમ કે મને તેમના નામનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો.
પૂર્વ નેવી ઓફિસરે કરી હતી રાજ્યપાલ સાથે મુલાકાત
આની પહેલા મહારાષ્ટ્ર રાજભવનમાં તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે બનાવ બન્યો તેની વાત રાજ્યપાલ સાથે કરી હતી, અને જે કલમો આરોપીયો પર લગાવવામાં આવી છેતે બહુ જ નબળી છે. રાજ્યપાલે કહ્યું હતું કે તેઓ આ વાત પર કાર્યવાહી કરશે. મેં તેમને એ પણ માંગણી કરી હતી મહારાષ્ટ્રમાં સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, અને તેમણે કહ્યું હતું કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરશે."
એક કાર્ટૂન શેર કરવાના મામલે થઈ હતી મારપીટ
ઉલ્લેખનીય છે કે એક કાર્ટૂન શેર કરવાના મામલે મદન શર્મા ને શિવસેનાના કાર્યકર્તાઓએ ખૂબ જ માર્યા હતાં, આ ઘટનાને લઈને જાણકારી એવી મળી હતી કે માત્ર ઉદ્ધવ ઠાકરેનું એક કાર્ટૂન વ્હોટસ એપ પર ફોરવર્ડ કરવાના મામલે તેમની મારપીટ કરવામાં આવી હતી. આ આરોપમાં શિવસેનાના કમલેશ કદમ સહિતના 6 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી જો કે તેમણે તાત્કાલિક જ જમાનત મળી ગઈ હતી.
પૂર્વ નેવલ ઓફિસરે આ બાબતે પહેલા મુખ્યમંત્રી ઠાકરેનું રાજીનામું માંગ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ઘાયલ છું અને તણાવમાં છું, મારી સાથે જે કંઈ પણ થયું તે નિરાશાજનક છે, હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માંગું છું કે જો તેમનાથી કાયદો અને વ્યવસ્થાનું નિયમન થઈ નથી શકતું તો તેઓ આ જવાબદારીથી મુક્ત થઈ જાય, લોકોને નક્કી કરવા દો કે તેઓ જવાબદારી કોને આપવા માંગે છે.