મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારાણ સભા યોજાઈ. આ સભામાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં દૂધસાગર ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધનું વેચાણ કરશે. તો ડેરીમાં રાજસ્થાનને પણ નિયામક મંડળમાં એક બેઠક આપવામાં આવી છે.
મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારાણ સભા યોજાઈ. આ સભામાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં દૂધસાગર ડેરી હવે મલ્ટી સ્ટેટમાં પોતાની રીતે દૂધનું વેચાણ કરશે. તો ડેરીમાં રાજસ્થાનને પણ નિયામક મંડળમાં એક બેઠક આપવામાં આવી છે.
અત્યાર સુધી માત્ર મહેસાણા જિલ્લાના જ દૂધ ઉત્પાદકોને નિયામક ચૂંટવાની સત્તા હતી. આ સાથે જ વિપુલ ચૌધરીએ સરકાર પર આક્ષેપ પણ કર્યા અને કહ્યું કે નીતિન પટેલે મને ડેરી બાબતે મળવાનો સમયજ નથી આપ્યો.
વધુમાં જણાવ્યું કે PM સાથે ખુલાસા કરવા છે કે આખરે ડેરી સાથે શું કરવામાં આવ્યું. વિપુલ ચૌધરીએ જણાવ્યું કે દૂધ ઉત્પાદકોના હિતમાં જેની સાથે જવું પડશે તે પક્ષમાં જઈશ. આમ કહીને વિપુલ ચૌધરીએ આડકતરી રીતે કોંગ્રેસને ટેકો જાહેર કરી દીધો છે.
દૂધસાગર ડેરી જશે મલ્ટી સ્ટેટ એક્ટમાં
દૂધસાગર ડેરીની સાધારણ સભા બોલાવવામાં આવી છે. સાધારણ સભા બાદ દૂધસાગર ડેરી ગુજરાત સહકાર વિભાગ સાથે છેડો ફાડશે. મહત્વનું છે કે, આચારસંહિતાની નોટિસ મળતા ડેરી દ્વારા સાધારણ સભા મુલતવી રાખવામાં આવી હતી.
જો કે સહકારી સંસ્થાઓને આચારસંહિતા લાગુ ન થતી હોવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. જેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે આજે દૂધસાગર ડેરીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.
કોંગ્રેસને કરશે સમર્થન
દૂધસાગર ડેરી અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇ આજે દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજી ચૌધરીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, અમારા પ્રશ્નોનો ઉકેલ નથી આવી રહ્યો અને ભાજપની નીતિના કારણે દૂધસાગર ડેરીને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.
ત્યારે ડેરીને નુકસાન અંગે સરકારે હાથ અધ્ધર કરી દીધા છે અને દૂધ ઉત્પાદકોને થતાં નુકસાન પર સરકારે મદદ નથી કરી. જેને લઇ હવે દૂધસાગર ડેરી પરિવાર કોંગ્રેસને સમર્થન કરશે.